IRCTC તમને 35 પૈસાના લગભગ શૂન્ય પ્રીમિયમ પર 10 લાખ સુધીનું વીમા કવર આપી રહી છે
IRCTC આપી રહી છે 10 લાખનું વીમા કવર
35 પૈસામાં 10 લાખનો વીમો
જાણો સમગ્ર માહિતી
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC) તમને 35 પૈસાના લગભગ શૂન્ય પ્રીમિયમ પર 10 લાખ સુધીનું વીમા કવર આપી રહી છે. હકીકતે યાત્રીઓની પાસે IRCTC વેબસાઈટના માધ્યમથી ટ્રેન ટિકિટ બુક કરતી વખતે 'યાત્રા વીમો' પસંદ કરવાનો વિકલ્પ પણ હોય છે. જો તમે પોતાની ટ્રેનની ટિકિટ બુકિંગના સમયે આ વિકલ્પનો પ્રયોગ કરી રહ્યા છો તો એક PNR હેઠળ બુક કરેલા દરેક યાત્રીઓ માટે યાત્રા વીમો લાગુ થશે.
જણાવી દઈએ કે ફક્ત IRCTC વેબસાઈટ અથવા મોબાઈલ એપના માધ્યમથી ટિકિટ બુક કરાવનાર દરેક ભારતીય નાગરિક આ વીમા કવર ખરીદા પાત્ર હશે. IRCTCની વેબસાઈટ અનુસાર, પોલિસીમાં ટ્રાવેલિંગ વખતે 'મોત', સ્થાયી પૂર્ણ વિકલાંગતા, સ્થાયી આંશિક વિકલાંગતા અને ઈજા અને નશ્વર અવશેષોના પરિવહન માટે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ શામેલ છે.
10 લાખ સુધીનું છે વધુમાં વધુ કવર
ત્યાં જ આ પોલીસીનું વધુમાં વધુ કવર 10 લાખ સુધીનું છે. જેમાં તમને રેલ દુર્ઘટના અથવા કોઈ પણ અપ્રિય ઘટનાના કારણે મૃત્યુ અથવા સ્થાપી પૂર્ણ વિકલાંગતા માટે 10 લાખ સુધીનું કવર આપવામાં આવશે. સ્થાયી આંશિક વિકલાંગતા માટે 7.5 લાખ કવરેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઈજા માટે હોસ્પિટલમાં દાખ થવાનો ખર્ચ માટે 2 લાખનું કવરેજ આપવામાં આવશે. ત્યાં જ પાર્થિવ શરીરના પરિવાર માટે 10,000 સુધીનું કવરેજ આપવામાં આવશે.