ગુજરાત ચુંટણીને લઇને વીટીવીની જનમત એકસપ્રેસ ગીર સોમનાથના તાલાળા ગીરની મુલાકાતે પહોંચી હતી. જ્યાં તાલુકા સેન્ટર તાલાળા ખાતે તાલાળા ખાતે આવેલી સુગર ફેક્ટરીની મુલાકાત લીધી હતી. જે એકદમ ખંઢેર બની છે. છતાં વિકાસની વાતો કરતી સરકારે ક્યારેય આ ફેક્ટરીને જીવંત રાખવા કોશિશ ન કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. હજાર લોકોની સાથે હજારો ખેડૂતો જીવંત રાખનારી સુગર ફેક્ટરી ખંડેર બની ગઈ. પરંતુ સરકારને તેના વિકાસમાં કોઈ રસ ન હોય તેવા લોકોએ આક્ષેપો લગાવ્યા હતા.
સિટી લેવલે ભાજપ તરફી માહોલ
ત્યારબાદ માધુપુર, જાબુંર ગામે, ઘુંસીયા, ગાભા ગામ, તાલાળા, સોમનાથની મુલાકાત લીધી હતી. જ્યા રોજગારી અને વિકાસને લઇને લોકોનો મત જાણવા પ્રાયસ કરવામાં આવ્યો હતો પરતું આ દરમિયાન લોકો સ્થાનિક નેતાઑ સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો. વધુમાં સોમનાથથી કોડીનાર તરફ આવેલ વેરાવળ APMC માં ખેડૂતોનો મત જાણ્યો હતો. જેમાં તાલાળા, સોમનાથ, અને કોડીનારમાં પણ હાલ સિટી લેવલે ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે.