મોર્નિંગ કન્સલ્ટિંગ પોલિટિકલ ઇન્ટેલિજન્સ હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, યુએસએ , ભારત, જર્મની, મેક્સિકો, સ્પેન, જાપાન, યુકે વગેરે જેવા 13 દેશોમાં નેતાઓની રેટિંગ પર નજર રાખનારી સંસ્થા છે અને હાલમાં તેના દ્વારા થયેલા એક સર્વેમાં ભારતના પીએમ મોદીની લોકપ્રિયતામાં વધારો થયો હોવાનું બહાર આવ્યું છે, તેમનું કુલ રેટિંગ 55 છે જે વિશ્વના અન્ય નેતાઓ કરતા વધુ છે.
મહામારીમાં કામગીરીના મામલે પીએમ મોદી નંબર 1
અમેરિકન ફર્મ મોર્નિંગ કન્સલ્ટિંગની કામગીરીમાં સામે આવ્યું તથ્ય
પીએમ મોદીએ કહ્યું,' દુનિયાના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની ભારત કરશે શરૂઆત
અમેરિકાની એક રિસર્ચ અને સર્વે ફર્મ મોર્નિંગ કન્સલ્ટિંગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતના પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં કોરોના મહામારીના સમયમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ રિપોર્ટ અનુસાર હાલમાં અન્ય બધા વૈશ્વિક નેતાઓ કરતા વડાપ્રધાન મોદીની રેટિંગ સૌથી વધુ છે.
હાલમાં 13 મોટા લોકતાંત્રિક દેશોના વડાઓમાં પીએમ મોદીની કામગીરી સૌથી શ્રેષ્ઠ
આ એજન્સી હાલમાં 13 દેશોની સ્થિતિ પર નજર રાખતી હોય છે, જેના પ્રમાણે દરેક દેશમાં ત્યાંના વ્યસ્ક લોકોના સાત દિવસના રિએક્શન અને એવરેજ પર આધારિત હોય છે, દરેક દેશના આકાર પ્રમાણે આ સર્વે માટેની સેમ્પલ સાઈઝ અલગ અલગ હોય છે જેમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 55 ના રેટિંગ સાથે સૌથી ટોચ પર છે જ્યારે કે મેકસિકોના પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઔબ્રેડોર અને ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસનના સ્કોરમાં પણ વધારો નોંધાયો હતો. 22 ડિસેમ્બરના આંકડાઓ મુજબ બંનેનો સ્કોર અનુક્રમે 29 અને 27 હતો.
આની વચ્ચે જ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતે દુનિયાના સૌથી મોટા કોવિડ 19 રસીકરણ અભિયાનને શરુ કરવા જઇ રહ્યું છે અને વધુમાં જણાવ્યું હતું કે દેશમાં હાલમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આવતા વર્ષે અમે દુનિયાના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમને ચલાવવાની તૈયારી કરી રહયા છીએ.'
2020માં મહામારીમાં કયા નેતાની સૌથી વધુ કામગીરી રહી શ્રેષ્ઠ ? #narendramodi #rahulgandhi #arvindkejriwal #vijayrupani #uddhavthackeray #amitshah
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભારત હાલમાં વૈશ્વિક સ્વાસ્થ્ય તંત્રિકાના કેન્દ્રના રૂપમાં સ્થાપિત થયું છે અનેઓ 2021 માટે દવાઈ ભી ઔર કડાઈ ભીનો મંત્ર આપ્યો હતો. વધુમાં પીએમ મોદી એ જણાવ્યું હતું કેઆની પહેલા મેં કહ્યું હતું કે 'જબ તક દવાઈ નહીં, તબ તક ઢીલાઈ નહીં'
જો કે અમારી વેબસાઈટ પર કોરોનાને લગતી કામગીરીમાં કયા નેતાએ સારું કામ કર્યું તે મુજબના પ્રશ્નમાં ઘણા વિવિધ રિએક્શન્સ આવ્યા હતા જેમાં અમુક લોકોએ ભાજપ સરકારની કામગીરી વખાણી હતી પરંતુ મોટા ભાગના લોકોએ આ પ્રશ્નમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની કામગીરીને પણ વખાણી હતી.