અહીં તમને એવી બે સરકારી પેન્શન યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે જે તમને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન માટે ખૂબ જ ઉપયોગી થશે.
રિટાયરમેન્ટ બાદની ચિંતા છોડો
આ બે સ્કિમમાં કરો રોકાણ
જાણો સરકારની આ બે પેન્શન યોજના વિશે
પોતાના રિટાયમેન્ટ બાદ એક નિશ્ચિત રકમ જોઈતી હોય તો તમારી પાસે કોઈને કોઈ પેન્શન યોજના જરૂર હોવી જોઈએ નહીં તો વધતી મોંઘવારીમાં મુશ્કેલીઓ વધી શકે છે. અહીં અમે તમને એવી બે સ્કીમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના માટે તમે પોતાની પેન્શન યોજનાની પસંદગી કરી શકો છો. એ છે અટલ પેન્શન યોજના અને નેશનલ પેન્શન સિસ્ટમ. જે બન્ને સરકારી યોજનાઓ છે.
નેશનલ પેન્શન સિસ્ટમને સમજો
આ સ્કીમને 2004માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી પરંતુ 2009માં તેને ખાનગી કર્મચારીઓ માટે પણ ખોલવામાં આવી. તેના દ્વારા તમે એક નિશ્ચિત સમય માટે નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. તેને 18 વર્ષથી 55 વર્ષની ઉંમરના લોકો માટે લાગુ કરવામાં આવી છે. તેને ભારતના નાગરિક અને એનઆરઆઈ લઈ શકે છે.
પેન્શનની રીતે જોઈએ તો આ નિશ્ચિત ગેરેન્ટી વાળી પેન્શન સ્કીમ નથી કારણ કે તે માર્કેટ લિંક્ડ હોય છે. સરકારી સિક્યોરિટીઝ, ફિક્સ્ડ ઈંકમ સિક્યોરિટી, ગેર સરકારી સિક્યોરિટીઝ ઉપરાંત ઈક્વિટીમાં પણ તેનું રોકાણ થાય છે.
NPS સિસ્ટમ શું છે?
NPSમાં બે પ્રકારના એકાઉન્ટ હોય છે. જેના નામ ટિયર 1 અને ટિયર 2 છે. બન્નેમાં અંતર એ છે કે 60 વર્ષની ઉંમરના ટિયર 1 એકાઉન્ટથી પૈસા નથી કાઢી શકાતા. ટિયર 2 એકાઉન્ટમાંથી સેવિંગ્સ એકાઉન્ટની જેમ પૈસા ઉપાડી શકો છો.
NPS સાથે જોડાયેલા ખાસ વાત
NPSની ખાસ શરત અનુસાર તેમાં ઓછામાં ઓછા 40 ટકા એન્યુટી લેવી જરૂરી હોય છે અને આ રતમ જેટલી વધારે હશે. તેટલી પેન્શનની રકમ પણ વધારે હશે.
અટલ પેન્શન યોજના સિસ્ટમ સમજો
અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી અને તેમાં એક નિશ્ચિત રકમ પેન્શનની રીતે 60 વર્ષની ઉંમર બાદ મળે છે. અટલ પેન્શન યોજનામાં ફક્ત ભારતના નિવાસી જ રોકાણ કરી શકે છે. તેના ધારક અથવા સબ્સક્રાઈબર્સ પોતાના કોન્ટ્રીબ્યુશનના આધાર પર પેન્શનની રકમની પસંદગી કરી શકે છે જે 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધી થઈ શકે છે.
અટલ પેન્શન યોજનાની ખાસ વાત
અટલ પેન્શન યોજનામાં એક ખાસ વાત એ છે કે મેચ્યોરિટી પહેલા તમે પોસા નહીં ઉપાડી શકો. 60 વર્ષની ઉંમરથી પહેલી એકાઉન્ટને બંધ કરવાની જોગવાઈ તેમાં છે પરંતુ 60 વર્ષ પહેલા તેમાંથી પૈસા નથી ઉપાડી શકતા. જોકે સબ્સક્રાઈબર્સના મોત થયા બાદ મેચ્યોરિટી પહેલા જ પૈસા ઉપાડી શકાય છે.