કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કોરોનામાં સૌથી વધુ શિક્ષણ વિભાગ પ્રભાવિત થયું રાજ્ય સરકારે લાંબા સમય બાદ આ નિર્ણય લીધો, આ નિર્ણય અમે આવકારીએ છીએ
કોરોનામાં સૌથી વધુ શિક્ષણ વિભાગ પ્રભાવિત થયું : મનીષ દોશી
રાજ્ય સરકારે લાંબા સમય બાદ નિર્ણય લીધો : મનીષ દોશી
વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા મુદે દ્વિધામાં હતા : મનીષ દોશી
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન કરતા જણાવ્યુ હતું કે કોરોનામાં સૌથી વધુ શિક્ષણ વિભાગ પ્રભાવિત થયું છે. રાજ્ય સરકારે લાંબા સમય બાદ આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણય અમે આવકારીએ છીએ. તેમજ બાળકો સંક્રમિત ન થાય તેનું સરકાર ધ્યાન રાખે.
લાંબા સમય બાદ નિર્ણય લીધો
કોરોનાકાળમાં ધો.10 બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જે બાદ આજે ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી.જેને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે લાંબા સમય બાદ નિર્ણય લીધો છે, વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા મુદ્દે દ્રિધામાં હતા ત્યારે સરકારની ધોરણ 12ની પરીક્ષાની જાહેરાતને કોંગ્રેસે આવકારી છે.
કોવિડ-19 પ્રોટોકોલના ચૂસ્ત પાલન
મહત્વનું છે કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6,83,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. રાજ્યમાં વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના કાળમાં કોવિડ-19 પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગે જણાવ્યું છે. પપરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે તેવું શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું
ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનો મહત્વપૂર્ણ નિર્ણય
1 જુલાઈથી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થનાર છે પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે તેમજ વિદ્યાર્થીઓને ઘરની નજીક પરીક્ષા કેન્દ્ર મળે તેવું આયોજન આવનાર છે. જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી 1લી જૂલાઈ એ શરૂ થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીને જોતા ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં હતો.