છોકરીઓને ખરીદી કરવી ખૂબ જ ગમે છે. તે ખરીદી માટે એટલી પાગલ હોય છે કે તેમને આ ખાસ કાર્ય માટે ક્યારેય થાક કે તણાવનો અનુભવ થતો નથી પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ શોપિંગ કરવી યોગ્ય નથી.
એવું કહેવાય છે કે શનિવારે કાળા કપડાં કોઈ લોખંડની વસ્તુ તેલ મીઠું અને ઇલેક્ટ્રોનિક જેવી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ નહીં. ચાલો જાણીયે અઠવાડિયાના વિશિષ્ટ દિવસો વિશે કે કયારે કપડાં ખરીદી કરીને પહેરવા શુભ ગણાય છે.
શોપિંગ કરવા માટે આ છે વિશિષ્ટ દિવસ છે:
શોપિંગ માટે શ્રેષ્ઠ દિવસ શુક્રવાર છે. જેનું કારણ છે કે શુક્રને ધન સંપત્તિ અને સુખ કપડાંનો ગ્રહ ગણવામાં આવે છે. આ દિવસે નવા કપડાં ખરીદવાથી શુક્રદેવતા ખુશ થઇને શુભેચ્છા આપે છે. આ ઉપરાંત બુધવાર ગુરુવાર અને રવિવાર પણ કપડાં ખરીદવા માટે શુભ છે. પણ રવિવાર સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર જ્વેલરીની ખરીદી માટે શુભ માનવામાં આવે છે.
નવા કપડાં આ દિવસે ખરીદવા ન જોઈએ:
હંમેશાં યાદ રાખો કે મંગળવાર અને શનિવારે નવા કપડા ખરીદવાનું પસંદ ન કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે નવા કપડાં પહેરવા નહી કારણ કે આ દિવસે શનિદેવ ગુસ્સામાં રહે છે. આ બે દિવસો સિવાય તમે નવા કપડાં પહેરી શકો છો અને ખરીદી શકો છો.
કપડાં ખરીદના નિયમો:
હંમેશાં યાદ રાખો કે કપડાં ખરીદતાં પહેલાં જોવા કે તેની પર કોઇ દાગ ન હોય. આવા કપડાંની ખરીદી અશુભ ગણવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે જો કાપડ ફાટેલા હોય તો તેને ખરીદી ન કરો કે તેને પહેરશો પણ નહીં. જો તમારા કાપડમાં ગમે ત્યાં કોઈ પ્રકારનું નિશાન હોય તો તે ખરીદશો નહીં. આવું કરવાથી રાહુ ઉલટી દિશામાં ચાલે છે અને જે લોકો નવા કપડા ધોઈ ને નથી પહેરતા તે અશુભ છે આવું કરવાથી બુધ નારાજ થાય છે.