લોકસભા ચૂંટણીના પરીણામ આવતા પહેલા જ ભાજપ મુખ્યાલયમાં મંત્રીપરિષદની વિદાય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જ નવી કેબિનેટના ગઠનમાં મોટો બદલાવના સંકેત મળ્યા હતા. હવે સવાલ એ છે કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની સાથે પાર્ટી અને સરકારના છ સૌથી મોટા પદની ડોર કોના- કોના હાથમાં અપાશે.
ભાજપના અધ્યક્ષ, લોકસબા સ્પીકર, ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયની જવાબદારી કોણ ઉઠાવશે. આ સવાલ સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે મુખ્ય પદો માટે અહીં આપેલા નામ પર લાગી શકે છે મહોર.
ગૃહ મંત્રાલય : અમિત શાહ અથવા રાજનાથ સિંહ
ગત સરકારમાં ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહને અનુભવના આધારે બીજીવાર જવાબદારી આપવામાં આવી શકે છે. જોકે, આ મંત્રાલય માટે અમિત શાહનું નામ પણ સામે આવી રહ્યું છે. જો અમિત શાહ સરકારમાં જોડાય છે તો આ મંત્રાલય તેમના માટે સૌથી યોગ્ય સાબિત થઇ શકે છે. વડાપ્રધાન પદ બાદ ગૃહમંત્રી પદ સૌથી મહત્વપૂર્ણ પદોમાં ગણાય છે.
જોકે, એ સ્પષ્ટ છે કે અમિત શાહ એવા મંત્રાલયને વધારે પસંદ કરે છે જે જનતા સાથે સીધા જોડાયેલા હોય છે. આપને જણાવીએ કે અમિત શાહ જ્યારે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હતા ત્યારે એમણે નરેન્દ્ર મોદી પાસે માંગ કરી હતી કે એમને ગ્રામીણ વિકાસ મંત્રાલય આપવામાં આવે. એવામાં અમિત શાહનો બીજી તરફ ઝુકાવ રાજનાથ સિંહના નામને મજબૂત બનાવે છે.
રક્ષા મંત્રાલય : રાજનાથ સિંહ અથવા અમિત શાહ
આ મંત્રાલય માટે બે નામ સૌથી વધારે ચર્ચામાં છે અમિત શાહ અને રાજનાથ સિંહ. ગૃહ મંત્રાલય સંભાળવાના સમયે આંતરિક સુરક્ષા વિષય પર તેમની સમજ વધુ સારી છે. જોકે, એમને જો સીસીએમ (સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી) માં રાખવામાં આવે તો એમણે ગૃહ મંત્રાલયમાં મુકવા પડશે. જો અમિત શાહને આ મંત્રાલય મળે છે તો સંગઠનના કાર્ય પર ધ્યાન આપી શકે છે. પાર્ટી માટે પણ ચે જરૂરી છે.
લોકસભા સ્પીકર : રાજનાથ સિંહ અથવા સંતોષ ગંગવાર
રાજનાથ સિંહ આ પદ માટે સૌથી હોટ ફેવરિટ માનવામાં આવે છે. કદાય આ જ કારણ છે કે આ પદ માટે તેમનું નામ સૌથી વધુ ચર્ચાઇ રહ્યું છે. રાજનાથ સિંહ ઉપરાંત આ પદ માટે સંતોષ ગંગવારનું નામ આગળ છે. સંતોષ ગંગવાર જે પોતાના શાલીન અને સૌમ્ય વ્યવહાર માટે જાણીતા છે, તથા ઉત્તર પ્રદેશમાં બરેલી બેઠક પરથી આઠ વાર સાંસદ રહી ચૂક્યા છે.
નાણા મંત્રાલય : પીયૂષ ગોયલ અથવા અમિત શાહ અથવા નીતિન ગડકરી
મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ કરનાર પીયૂષ ગોયલનું નામ આ પદ માટે સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. અરૂણ જેટલીના અસ્વસ્થ બન્યા બાદ નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળી ચૂકેલા પીયૂષ ગોયલ માટે નજર અંદાજ કરવા પાર્ટી માટે મુશ્કેલ બની રહેશે.
જોકે, આ મંત્રાલય ખુદ અમિત શાહ પોતાના હાથમાં લઇ શકે છે. નીતિન ગડકરીનું નામ પણ આ પદ માટે ચર્ચાઇ રહ્યું છે.
વિદેશ મંત્રાલય : નિર્મલા સીતારમણ અથવા સ્મૃતિ ઇરાની
વિદેશ મામલાને સારી રીતે ઉકેલનાર નિર્મલા સીતા રમણ એકવાર ફરી રક્ષા મંત્રાલય મેળવી શકે છે. જે પ્રકારનો એમનો કાર્યકાળ રહ્યો છે એ હિસાબે એમને આ પદ ફરી સોંપવામાં આવે એમા કોઇ બે મત નથી. બીજી તરફ રાહુલ ગાંધીને અમેઠીથી હરાવનાર સ્મૃતિ ઇરાનીનું નામ પણ આ પદ માટે ચર્ચામાં છે. આ પહેલા સ્મૃતિ ઇરાની માનવ સંશાધન, સૂચના પ્રસારણ અને ટેક્સટાઇલ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.
ભાજપ અધ્યક્ષ : ભૂપેન્દ્ર યાદવ અથવા જે.પી. નડ્ડા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે જે બે નામ સૌથી વધારે ચર્ચામાં છે તે છે ભૂપેન્દ્ર યાદવ અને જગત પ્રકાશ નડ્ડા. નડ્ડા જ્યાં ગત સરકારમાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષની દોડમાં હતા. જોકે, બાજી અમિત શાહ મારી ગયા. નડ્ડાએ ઉત્તરપ્રદેશના પ્રભારી રહેતા પાર્ટીને ઉત્તરપ્રદેશમાં શાનદાર જીત અપાવી હતી. જો વાત કરવામાં આવે ભૂપેન્દ્ર યાદવની તો, તેમના નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે ઘણા સારા સંબંધો છે. તેથી એમનું નામ સૌથી આગળ ચર્ચાઇ રહ્યું છે.