ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ એક બાદ એક શહેર અને રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવી રહ્યા છે. ત્યારે અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું હતુ. જેને પગલે અનેક વિવાદ થાય હતા. અત્યારે યોગી સરકારે 4 સ્ટેશનોના નામ બદલ્યા છે.
પ્રયાગરાજ જનપદ હેઠળના 4 સ્ટેશનના નામ બદલાયા
પ્રયાગઘાટનું નામ પ્રયાગરાજ સંગમ સ્ટેશન કરાયું
લોક નિર્માણ વિભાગને કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ જાહેરાત
અલ્હાબાદ જંક્શનનું નામ બદલીને પ્રયાગરાજ જંક્શન કરવામાં આવ્યું
ઉત્તર પ્રદેશ સરકારે પહેલા અલ્હાબાદ શહેરનું નામ બદલી પ્રયાગરાજ રાખ્યું છે. હવે તે શહેરના રેલવે સ્ટેશનનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે. પ્રયાગરાજ જનપદ હેઠળ આવતા અલ્હાબાદ જંક્શનનું નામ બદલીને પ્રયાગરાજ જંક્શન કરવામાં આવ્યું છે.
પ્રયાગરાજ જનપદ હેઠળના 4 સ્ટેશનના નામ બદલાયા
અલ્હાબાદ સિટીનું નામ બદલીને પ્રયાગરાજ રામબાગ સ્ટેશન કરાયું છે. જ્યારે અલ્હાબાદ છિવકીનું નામ બદલીને પ્રયાગરાજ છિવકી કરાયું. તો પ્રયાગરાજ ઘાટનું નામ પ્રયાગરાજ સંગમ સ્ટેશન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકરના શહેરના નામ બદલવાને લઈને અનેક વિવાદોનો મધપુડો છેડાયો હતો. જેને પગલે દેશ ભરમાં આ નામના પક્ષ અને વિપક્ષમાં લોકોના મત આવી રહ્યાં હતા. ત્યારે શહેરનું નામ બદલાવાની સાથે તેના ચાર સ્ટેશનોનું નામ બદલાયું છે.
ઉલ્લેખનીય છે કે લોક નિર્માણ વિભાગે કેન્દ્રની મંજૂરી મળવ્યા બાદ આ ચારેય સ્ટેશનોના નામ બદલવાની જાહેરાત કરી હતી. જેને પગલે તંત્રએ નામ બદલવાની સાથે સાઈન બોર્ડથી માંડી ડિસ્પ્લે બોર્ડની પણ કામગીરી હાથ ધરી લીધી છે.