RSS ચીફ મોહન ભાગવતે હિંદુઓ પર એક મોટું નિવેદન આપતા જણાવ્યું કે જ્યા જ્યાં હિંદુઓની વસતી ઓછી છે ત્યાં સમસ્યા સર્જાઈ છે.
RSS ચીફ મોહન ભાગવતનું નિવેદન
જ્યાં હિંદુઓની વસતી ઓછી ત્યાં સમસ્યા
હિંદુઓની વસતી વધશે તો જ કલ્યાણ-ભાગવત
ઉદેપુર ખાતેના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રથી જ દુનિયાનું કલ્યાણ થશે. કોરોનાકાળમાં સંઘના સ્વયંસેવકો જે રીતે નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરી છે તે સાચુ હિન્દુત્વ છે. શાંતિ અને સત્ય હિન્દુઓની વિચારધારા છે. આપણે હિન્દુ નથી તેવુ અભિયાન દેશ અને સમાજને નબળો પાડવા માટે ચલાવવામાં આવી રહ્યુ છે.
સમસ્યાઓના સમાધાન માટે હિન્દુ સમાજનું સંગઠિત થવું જરૂરી
ભારતની સમસ્યાઓના સમાધાન માટે હિન્દુ સમાજ સંગઠિત થાય તે જરૂરી છે. આપણે બધા ભારત માતાના સંતાનો છે અને હિન્દુ એટલે કે સનાતન સંસ્કૃતિને માનનારા લોકો છે. સનાતન સંસ્કૃતિના સંસ્કાર વિશ્વનું કલ્યાણ કરી શકે છે.
ભારતની વિવિધતામાં એકતાનો ભાવ
ભાગવતે કહ્યુ કે ભારતની જે વિવિધતા છે તેમાં એકતાનો ભાવ રહેલો છે. યુગોથી આ પુણ્ય ભૂમિ પર રહેનારા પૂર્વજોના આપણે વંશજ છે અને આપણે બધા હિન્દુ છે. આ પ્રકારની ભાવના હિન્દુત્વ છે. ડો.હેડગેવારે શરૂઆતમાં અનુભવ્યુ હતુ કે, સ્વતંત્રતા મળ્યા બાદ આપણે ફરી પરાધીનના થઈએ તેના પર વિચાર કરવો પડશે.
વિપરીત પરિસ્થિતિમાં પણ સંઘ કામ કર્યું છે
તેમણે કહ્યુ હતુ કે, સંઘ વિશ્વ બંધુત્વની ભાવના સાથે કામ કરે છે. સંઘ માટે આખુ વિશ્વ પોતાનું છે. સંઘને નામ કમાવવાની લાલસા નથી. ક્રેડિટ અને લોકપ્રિયતાની જરૂર નથી. 80ના દાયકા સુધી હિન્દુ શબ્દથી પણ બધાને છોછ રહેતો હતો. આવી સ્થિતિમાં પણ સંઘે કામ કર્યુ છે. આજે આરએસએસ વિશ્વના સૌથી મોટા સંગઠનોમાં સ્થાન પામે છે. સંઘની સ્થાપનાના મૂળમાં પણ આ જ વિચાર છે.