ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણને પાયાના શિક્ષણ તરીકે સ્વીકાર્યું છે અને ભાવિ પેઢી પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે રીતે સંપૂર્ણ સાક્ષરતાનું ધ્યેય પણ રાખવામાં આવ્યું છે.
કેટલીક સરકારી યોજનાઓ ઘરે ઘરે પહોંચે છે તેનો શ્રેય આપણે સરકારી શિક્ષકોને આપવો જોઈએ. અત્યાર સુધી સરકારે સોંપેલા તમામ કામ ડાહ્યા કર્મચારી તરીકે કરતા શિક્ષકો હવે જાગૃત થયા છે, અને એવો વિરોધ કરતા થયા છે કે તમે શિક્ષણકાર્ય સિવાય અમારી પાસે કામ કરાવશો નહી. 2007માં આવેલો સુપ્રીમકોર્ટનો એક આદેશ પણ છે જેનો આધાર લઈને શિક્ષકો અન્ય બિનશૈક્ષણિક કામોનો વિરોધ કરતાં રહ્યાં છે, જેમાં સુપ્રીમકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે વસતિ ગણતરી, ચૂંટણીનું કામ કે પછી રાષ્ટ્રીય આપત્તિઓમાં શિક્ષકને ત્યારે જ કામે લગાડો જ્યારે તમારી પાસે કામ કરાવવાનો બીજો કોઈ વિકલ્પ ન હોય.
આ આદેશ પછી શિક્ષકોએ એવું માની લીધું છે કે વસતિ ગણતરી, ચૂંટણીનું કામ કે રાષ્ટ્રીય આપત્તિઓમાં તો અમારે કામ કરવાનું જ છે. ક્યારેક ઘરે ઘરે જતા એ અપમાનોને પણ સહન કરે છે, લોકોના વિચિત્ર વ્યવહારનો સામનો પણ કરે છે અને સરકારી નોકરી છે એટલે ચૂપ બેસીને ફરી કામે લાગી જાય છે. પોતાના હક્ક માટે જ્યારે પણ લડવા મેદાને ઉતરે તો શિક્ષકોના નેતાઓથી જ બીચારો શિક્ષક છેતરાઈ જાય છે, અને પોતાની માગ-હક્ક ત્યાંના ત્યાં રહી જાય છે. ફરી ચૂંટણી આવે છે અને શિક્ષકોના નેતાઓ ફરી એ શિક્ષકનો મહોરા તરીકે ઉપયોગ કરે છે, અને આ વ્યવસ્થામાં બેઠેલા શિક્ષકોના નેતાઓ પોતાનું કામ કરાવી લે છે. તો, આજે જ્યારે શિક્ષક એ માગ કરી રહ્યો છે કે મારી પાસે બિનશૈક્ષણિક કામ ન કરાવો..
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણને પાયાના શિક્ષણ તરીકે સ્વીકાર્યું છે અને ભાવિ પેઢી પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે રીતે સંપૂર્ણ સાક્ષરતાનું ધ્યેય પણ રાખવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષકો શિક્ષણ આપવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરે તો જ ધ્યેય હાંસલ કરી શકાય, જેથી 14 જેટલી બિનશૈક્ષણિક કામગીરીનું ભારણ હળવું કરવું અનિવાર્ય જણાય છે.
એવું જણાવી 1997માં પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં મોટાભાગની કામગીરીમાંથી બાકાત રાખવા અને બિનશૈક્ષણિક કામગીરી લેવા પૂર્વ મંજુરી જરૂરી બતાવી છે. પરંતુ, અમલવારીમાં ગંભીરતા રખાતી નથી. જે કચ્છ જેવા જિલ્લામાં શિક્ષકોની ઘટ વચ્ચે આડઅસર કરનારી નિવડી રહી છે.
પરિપત્ર મુજબ 14 બિનશૈક્ષણિક કામગીરીઓ
કુટુંબ કલ્યાણ નસબંધી કેસોનું મોટિવેશન
વસતી ગણતરી
બાળમજુરોની ગણતરી
ચૂંટણી અંગેની કામગીરી
ફોટો ઓળખકાર્ડનું વિતરણ
પશુ ગણતરી
સાક્ષરતા
અનુસાક્ષરતા
રાહતકામ અન્વયે
દકામની મોજણી
નબળા વર્ગની આર્થિક મોજણી
પોલિયો રસીકરણ
મેલેરિયા ગોળી વિતરણ
અન્ય મોજણી
નાની બચત અંગેના લક્ષ્યાંકો સિદ્ધ કરવા મોટીવેશન કામગીરી
14 બિનશૈક્ષણિક કામગીરી પૈકી ચૂંટણી કામગીરી અનિવાર્ય
પરિપત્રમાં જણાવાયું છે કે, 14 બિનશૈક્ષણિક કામગીરી પૈકીની સાક્ષરતા, અનુસાક્ષરતા, શિક્ષણસાથે સંકળાયેલા કાર્યક્રમ, રાષ્ટ્રીય કામગીરીમાં ચૂંટણીમાં પ્રાથમિક શિક્ષકોએ જોડાવવું જોઈએ. પરંતુ, એસિવાયની કામગીરી શિક્ષણ સાથે સંકળાયેલી ન હોવાથી તે કામગીરી માટે પ્રાથમિક શિક્ષકોને ફરજ પાડવામાં જે તે વિભાગે વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એવું સ્પષ્ટ કહેવાયું છે. જોકે, પરિપત્રમાં દર્શાવેલી 14 બિનશૈક્ષણિક કામગીરીમાંથી મોટાભાગની કામગીરી સંબંધિત તંત્ર ટેકનોલોજીને કારણે શિક્ષકો વિના કરવા લાગ્યું છે.
રાઈટ ટુ એજ્યુકેશનમાં પણ જોગવાઈ
રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈમાં પણ 2011ના પરિપત્રથી પ્રા. શિક્ષકો, વિદ્યા સહાયકો પાસેથી રાષ્ટ્રીય હિતમાં જરૂરી હોય તે સિવાયની બિનશૈક્ષણિક કામગીરી ન લેવો સૂચનાઓ આપવામાં આવી છે.
2014માં પણ આદેશ થયો હતો
સરકારના શિક્ષણ વિભાગે 2014ના પ્રા. શિક્ષકો, વિદ્યા સહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરૂરી હોય તે સિવાયની બિનશૈક્ષણિક કામગીરી ન લેવા પરિપત્ર બહાર પડ્યો હતો.
શિક્ષકોની ઘટ વચ્ચે આડ અસર
કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ વચ્ચે બિનશૈક્ષણિક કામગીરી લેવામાં આવે તો સ્વાભાવિક રીતે પ્રાથમિક શિક્ષકો બાળકોને અભ્યાસ ઉપર પૂરતું ધ્યાન આપી ન શકે. કોઈપણ વ્યક્તિ પાસે ચોવીસ કલાકમાં વધુમાં 6થી 8 કલાક જ કામ લઈ શકાય. સપ્તાહમાં એક દિવસ રજા પણ રાખવી પડે. નહીંતર કામગીરી ઉપર આડઅસર પડે. જે સરવાળે કામગીરી જ બગાડે.
શિક્ષિત બેરોજગારોને જોતરો
પરિપત્રમાં સ્પષ્ટ રીતેએ પણ કહેવાયું છે કે, ખાસ કરીને મોજરી માટે કોલેજના વિદ્યાર્થીઓ અથવા શિક્ષિત બેરોજગારોને માનદવેતન આપી કામગીરી કરાવવી જોઈએ.
બાળકોને અસરકારક શિક્ષણ આપવું
અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવો
બાળકો ન સમજે તે વારંવાર સમજાવવું
શાળામાં હાજર રહીને વર્ગની કામગીરી પર ધ્યાન આપવું
મહિનાના અંતે પત્રકો પૂર્ણ કરીને રિપોર્ટ તૈયાર કરવો
પોતાના વર્ગની હાજરી સુધારવા તમામ પ્રયાસ કરવા
સમાજમાં નામના મેળવી શકે તેવા વિદ્યાર્થીઓ બનાવવા
શિક્ષકોની ફરજ શું?
બાળકોને અસરકારક શિક્ષણ આપવું. તેમજ અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવો. અને બાળકો ન સમજે તે વારંવાર સમજાવવું. જ્યારે સૌથી મહત્વનું શાળામાં હાજર રહીને વર્ગની કામગીરી પર ધ્યાન આપવું. તેમજ મહિનાના અંતે પત્રકો પૂર્ણ કરીને રિપોર્ટ તૈયાર કરવો. અને પોતાના વર્ગની હાજરી સુધારવા તમામ પ્રયાસ કરવા. સમાજમાં નામના મેળવી શકે તેવા વિદ્યાર્થીઓ બનાવવા.
સમયસર પૂર્ણ નથી થઇ શકતો અભ્યાસક્રમ
બાળકોને નથી મળતું ગુણવત્તાસભર શિક્ષણ
બાળકોનો પ્રાથમિક પાયો રહે છે નબળો
બાળકોએ જાતે તૈયાર કરવો પડે છે અભ્યાસક્રમ
અભ્યાસક્રમ પૂર્ણ ન થતો હોવાથી નાપાસ થવાના પ્રમાણમાં વધારો
શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું ટાળે છે
શિક્ષક પર વધુ ભારણની વિદ્યાર્થીઓ પર શું અસર?
શિક્ષક પર વધુ ભારણનાં લીધે સમયસર અભ્યાસક્રમ પૂર્ણ થઈ શકતો નથી. તેમજ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પણ મળતું નથી. બાળકોનો પ્રાથમિક પાયો નબળો રહે છે. તેમજ બાળકોએ જાતે અભ્યાસક્રમ તૈયાર કરવો પડે છે. જો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીઓનાં નાપાસ થવાના પ્રમાણમાં વધારો થાય છે. તેમજ શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું ટાળે છે.
સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વિરોધાભાસી
ગુજરાતી ભાષાનું કથળતું સ્તર
રાજ્યમાં તાલીમબદ્ધ શિક્ષકોની અછત
મોટા પ્રમાણમાં ઉભી થતી ખાનગી શાળા
ખાનગી શાળાઓમાં તોતિંગ ફી
શાળાઓમાં શિક્ષકોની ઘટ
શાળામાં ઓરડાઓની ઘટ
જર્જરિત ઓરડામાં જીવના જોખમે અભ્યાસ
અત્યારે શિક્ષણ સામે પડકારો કેવા છે?
સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વિરોધાભાસી છે. એકબાજુ ગુજરાતી ભાષાનું સ્તર કથળતું જઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં તાલીમબદ્ધ શિક્ષકોની અછત તેમજ મોટા પ્રમાણમાં ઉભી થતી ખાનગી શાળાઓ અને ખાનગી શાળાઓમાં તોતિંગ ફી. તેમજ શાળાઓમાં શિક્ષકોની ઘટ, શાળામાં ઓરડાઓની ઘટ, જર્જરિત ઓરડામાં જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો. અને ગામડાના બાળકોને શાળા સુધી લાવવા, એક શિક્ષકને એક કરતા વધુ વર્ગની જવાબદારી બદલીના કેમ્પ યોજવામાં વિલંબથી શિક્ષણ પર માઠી અસર, સ્કૂલ પહોંચવા માટે રોજનું અપડાઉન તેમજ સમયસર પાઠ્ય પુસ્તકો સ્કૂલ સુધી ન પહોંચવા જેવા પડકારો હાલ શિક્ષણ સામે છે.