ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં હાઈકોર્ટના જસ્ટિસની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ એક ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લાના એસપીએ તેમની સામે ખાતાકીય તપાસના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે, જો તપાસમાં દોષી સાબિત થશે તો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં એક મોટી કાર્યવાહી સામે આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શ્રીપ્રકાશ સિંહ 23 ઓક્ટોબરના રોજ આંબેડકર નગર આવ્યા હતા. NBTના રિપોર્ટ અનુસાર, તેમની સુરક્ષામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે કોન્સ્ટેબલ અને એક ઈન્સ્પેક્ટરની ડ્યૂટી લગાવવામાં આવી હતી. ઈન્સ્પેક્ટરનું નામ તેજ બહાદુર અને કોન્સ્ટેબલ મોહમ્મદ અયુબ અને ઋષભ યાદવનો સમાવેશ થાય છે. આ દરમિયાન ત્યાં હાજર એસઆઈએ ન્યાયાધીશને કહ્યું કે કયા જવું છે ? જોકે આ પછી ન્યાયાધીશે ગુસ્સે થઈને એસપીને ફરિયાદ કરી.
એસપીએ કરી મોટી કાર્યવાહી
જસ્ટિસની ફરિયાદ બાદ એસપીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ન્યાયાધીશની સુરક્ષામાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલને વિભાગીય તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, ઈન્સ્પેક્ટર અને બંને પોલીસકર્મીઓની પૂછપરછ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, જિલ્લામાં ન્યાયાધીશોની મુલાકાતને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ દરમિયાન જિલ્લાના એસપી તેમની સુરક્ષામાં કેટલાક પોલીસકર્મીઓને તૈનાત કરે છે. આ દરમિયાન તેમને 24 કલાક તૈયાર રહેવા અને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ પોલીસકર્મી આદેશનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. આંબેડકરનગર જિલ્લામાં ન્યાયની સુરક્ષામાં પોલીસકર્મીઓની બેદરકારી અંગે વિભાગીય તપાસ કરવામાં આવી રહી છે જો તેઓ દોષી સાબિત થશે તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.