હાલના દિવસોમાં લોકો 1 રૂપિયાના સિક્કાને લઈને પણ ફરિયાદો કરી રહ્યા છે. દુકાનદાર ઘણી જગ્યાએ 1 રૂપિયાનો સિક્કો લેતા નથી, જો આપની સાથે પણ આવું થતું હોય તો, આપ શું કરશો.
ઘણી જગ્યાએ એક રૂપિયાનો સિક્કા લેતા નથી
જો કોઈ દુકાનદાર ના પાડે તો શું કરશો શું કરશો
અહી જમા કરાવી શકશો સિક્કા
આપની પાસે એક રૂપિયાનો સિક્કો તો હશે જ . જો આપ કોઈ દુકાન પર જાઓ અને દુકાનદાર સિક્કો લેવાની ના પાડે તો ? ઘણા બધા લોકોને દસ રૂપિયાના સિક્કામાં તો માથાકૂટ થાય જ છે, પણ હાલના દિવસોમાં લોકો 1 રૂપિયાના સિક્કાને લઈને પણ આવી ફરિયાદો કરી રહ્યા છે. જો આપની સાથે પણ આવું થતું હોય તો, આપ શું કરશો.
આરબીઆઈના દિશા-નિર્દેશો અનુસાર પોસ્ટ ઓફિસ તમામ પ્રકારની નોટ અને સિક્કા સ્વિકારે છે. તો આપ 1 રૂપિયાના સિક્કાને પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકશો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાંથી કંઈક ખરીદી પણ શકશો. મતલબ કે પોસ્ટ ઓફિસને આપના સિક્કા સ્વિકારવાના રહેશે.
— सुधांशु दुबे बुंदेलखंड (@Sudhanshujhansi) April 5, 2022
શખ્સે ટ્વિટર પર ફરિયાદ કરી
હકીકતમાં એક શખ્સે ટ્વિટર પર આરબીઆઈ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ઓફિસને ટૈગ કરતા ફરિયાદ કરી હતી. સુધાંશુ દુબે નામના ટ્વિટર અકાઉન્ટથી 1 રૂપિયાના સિક્કાની તસ્વીર શેર કરતા પૂછવામાં આવ્યું હતું કે, શું આ પ્રકારના સિક્કા ભારતમાં બંધ થઈ ગયા છે ? જો હા તો સિક્કા ક્યાં જમા થશે જે લોકો પાસે છે, અને નહીં તો દુકાન ઉપરાંત ભારતીય પોસ્ટ ઓફિસમાં આ સિક્કા લેવાની શા માટે ના પાડે છે ?
ઈંડિયા પોસ્ટે આપ્યો જવાબ
તેના જવાબમાં ઈંડિયા પોસ્ટે લખ્યું છે કે, મહોદય, આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ પ્રકારના સિક્કા તથા નોટ પોસ્ટ ઓફિસ દ્વારા લેવામાં આવે છે. આપની ફરિયાદના સંદર્ભ સ્વિકારતા સંબંધિત પોસ્ટ ઓફિસને નિર્દેશિત કરવામાં આવે છે. તથા આરબીઆઈ દ્વારા તમામ પ્રકારના સિક્કા અને નોટ સ્વિકાર કરે. આપની થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ.
શું કહ્યું છે રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ
26 જૂન 2019ના રોજ એક સત્તાવાર નોટિફિકેશનના માધ્યમથી ભારતીય રિઝર્વ બેંકે લોકોને અફવા પર વિશ્વાસ નહીં કરવા અને તમામ સિક્કાની લેવડદેવડ માટે કાનૂની ટેન્ડર તરીકે સ્વિકાર કરવાની અપીલ કરી હતી. મતલબ કે RBI દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ સિક્કા કાયદેસર અને સ્વિકાર્ય છે.