કોરોના વાયરસ સંક્રમણથી વૈશ્વિક સ્તરે 10 કરોડથી વધારે લોકો પ્રભાવિત થયા છે તો 23 લાખ લોકોના મોત થયા છે. મે 2020માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં વાયરસની ઉત્પત્તિ સાથે જોડાયેલા કારણોની શોઘની માંગ કરાઈ હતી.
દુનિયામાં લાખો લોકોના મોતનું કારણ બનનારો કોરોના વાયરસ ક્યાંથી આવ્યો છે તેની શોધ માટે 14 સભ્યોની એક ટીમ વુહાન શહેરમાં છે. અહીંથી 2019માં વાયરસના સંક્રમણનો પહેલો કેસ આવ્યો હતો. WHOની ટીમની તપાસ પૂરી થઈ રહી છે અને રિપોર્ટ અનુસરા મહામારી ફેલાવવામાં વુહાન સી ફૂડ માર્કેટની ભૂમિકાના ખાસ સબૂત મળ્યા છે. ન્યૂયોર્કથી સંબંધ રાખનારા જંતુ વિજ્ઞાની પીટર દાસ્જાકે કહ્યું કે 10 ફેબ્રુઆરી પહેલાની તપાસમાં અનેક મુદ્દા સામે આવ્યા હતા. જેનાથી ખ્યાલ આવ્યો કે વુહાનમાં શું થયું હતું.
દાસ્જાકે કહ્યું કે આ તપાસ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
બ્લૂમબર્ગના રિપોર્ટના આધારે તપાસમાં એક મોટી અને વ્યાપક સમજ બનાવવામાં મદદ મળશે કે આખરે શું થયું હતું. જેથી અન્ય મહામારીને રોકી શકાય. વૈશ્વિક અર્થવ્યવસ્થાને નિશ્ચિત અંતરાલ પર ધ્વસ્ત થવાની અને વેક્સીનની રાહ જોવામાં થતા મોતને રોકી શકાય, કોરોના વાયરસ સંક્રમણથી વૈશ્વિક સત્રે 10 કરોડથી વધારે લોકો પ્રભાવિત થયા છે. જ્યારે 23 લાખથી વધારેના મોત થયા છે. WHO કોરોના વાયરસની ઉત્પત્તિના કારણોની શોઘની માગં મે 2020માં જ કરી ચૂકી હતી.
વાયરસની ઉત્પત્તિ સાથે જોડાયા ખાસ સબૂત
અનેક રિસર્ચમાં દાવો કરાયો છે કે વાયરસની ઉત્પત્તિ કોઈ માર્કેટનો રોલ નથી, WHOએ આ વાતને ઈગ્નોર કરતા તપાસ શરૂ કરી. તેઓને માર્કેટમાં જ ખાસ ક્લૂ મળ્યા. જો કે દાસ્જાકે આ વિશે વધુ જાણકારી આપવાની મનાઈ કરી છે. તેઓએ કહ્યું કે અમે અત્યારે દરેક ચીજોને ભેગી કરી રહ્યા છીએ. વાયરસ ફેલાયા બાદ વુહાન ફૂડ માર્કેટને બંધ કર વા અને સાફ કરવાને લઈને તેઓએ કહ્યું કે લોકો અહીંથી ઉતાવળમાં ભાગી નીકળ્યા હતા અને સામાન અહીં જ છોડી ગયા છે. આ એ વાતની ખાતરી આપે છે કે એ સમયે પરિસ્થિતિ શું હતી જેની પર અમે ફોકસ કર્યું છે.
આ સિવાય તેઓએ કહ્યું કે અમે એવી બાબતો પણ જાણી છે જેને પહેલાં જાણતા ન હતા. સંક્રમિતો સિવાય પણ એવા લોકો શિકાર હતા જેમને કોઈ લક્ષણો ન હતા. કેટલાક એવા પણ હતા જેમને સામાન્ય શરદી અને ખાંસી હતી પણ તેમને અલગ કરાયા ન હતા.