મીઠુ આપણા ઘર વપરાશમાં રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. પણ શું તમને ખબર છે તે આપણા જીવનમાં બહુ ઉપયોગી છે. ભોજનમાં મીઠુ ઓછુ હોય તો તે ફીકુ લાગે છે. તેમજ જો વધારે પડતુ મીઠુ હોય તો ભોજનનો સ્વાદ ખરાબ થઈ જાય છે.
જેમ કે થોડુ મીઠુ તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. જ્યારથી મીઠાની શોધ થઈ છે ત્યારથી એવું માનવામાં આવે છે કે તેમાં નકારાત્મક ઉર્જા દૂર કરવાની અદ્ભુત શક્તિ છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મીઠાથી ઘણા ચમત્કારી ઉપાયો પણ કરવામાં આવે છે.
મળતી માહિતી મુજબ મીઠુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારે છે. ક્યાં અને કેવી રીતે મીઠાનો ઉપયોગ કરવો. જો કોઈની નજર લાગી હોય તો એક ચપટી મીઠું લઈને ત્રણ વખત તેના પણ ફેરવીને બહાર ફેંકી દેવું તેવું કહેવામાં આવે છે. જેનાથી ખરાબ નજર ઉતરી જાય છે.
આ ઉપરાંત સપ્તાહમાં એક દિવસ પાણીમાં ચપટી મીઠું નાંખીને બાળકોને સ્નાન કરાવું તેનાથી બાળકોને નજર નહીં લાગે અને સ્વાસ્થ સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચના ગ્લાસમાં મીઠું ભરીને શૌચાલયમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. હકીકતમાં મીઠું અને કાચ બંને રાહુની વસ્તુ છે અને તે રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરે છે.
આ ઉપરાંત રોક સોલ્ટ લેમ્પનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. તે પરિવારની વચ્ચે તાલ-મેલ અને સુખ-સમૃદ્ધિ વધારે છે અને સ્વાસ્થ સંબંધી તમામ સમસ્યાને દૂર કરે છે.
જો તમારે રાહુ કે કેતુની ખરાબ દશા ચાલી રહી હોય અથવા મનમાં ખરાબ વિચારો આવતા હોય તો કાચના વાસણમાં મીઠું ભરીને ઘરનાં કોઈ પણ ખુણામાં રાખવું. જેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.