જ્યારે સહન ન થાય તેવી ભૂખ લાગી હોય ત્યારે આ ટિપ્સ પર ધ્યાન જરૂર દોરજો. ઝડપથી કંઇક ખાઇ લેવા ઇચ્છતા હોઇએ ત્યારે કેટલીક વસ્તુઓ એવોઇડ કરવી જોઇએ. ભૂખની અસર એવી હોય છે કે આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે છે અને ફોકસ માત્ર ખાવા પર હોય છે. એવામાં ખાવાની વસ્તુઓ ઋતુ અનુસાર ખાવાથી પેટની ઘણી તકલીફો દૂર થઈ જશે. જેમ કે......
શિયાળા, ઉનાળા અને ચોમાસામાં ખાવાની ઉપયોગી ટિપ્સ
ભોજન પછી 30 મિનીટ સુધી પાણી ના પીવો
ઠંડીની સિઝનમાં ખાલી પેટે સફરજન ખાવાથી બીપી વધે છે
શિયાળામાં ખાવાની ઉપયોગી ટિપ્સ
જો તમે ઠંડીના દિવસોમાં ખાલી પેટે જામફળ ખાશો તો તમને પેટમાં દુઃખાવાની ફરિયાદ થઇ શકે છે.
ઠંડીની સિઝનમાં ખાલી પેટે સફરજન ખાવાથી બીપી વધે છે.
સવારે સૌથી પહેલાં તમે સફરજન ખાઇ લેશો તો તમારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે.
ખાલી પેટે દહીં પણ ન ખાવું જોઇએ પણ ટામેટાં ખાઇ શકો છો, કારણ કે ટામેટાંની તાસીર ગરમ હોય છે.
ગાજર, આમળા, સંતરા, બોર, લીલાં વટાણા, લીલી તુવેર, લીલી લસણ, પાપડી અને સરસવ ની ભાજી ખાવી જોઈએ, આ વિટામિન્સનો ખજાનો છે.
ઉનાળામાં ખાવાની ઉપયોગી ટિપ્સ
ગરમીમાં ખાલી પેટ જામફળ ખાશો તો ફાયદો થશે.
ખાલી પેટે દહીં ખાઈ શકાય છે, જેથી શરીરમાં ઓછી ગરમી ઉત્પન્ન થાય છે.
ટામેટાંની તાસીર ગરમ હોવાથી, આ સિઝનમાં ટામેટા ખાવાથી પેટમાં દુખાવો કે છાતીમાં બળતરાની સમસ્યા થઇ શકે છે.
પરવળમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોવાથી તે ખાવાં સારા રહે છે.
ગોળ, ઘી, ઘઉં,ચોખા, તલ, કેળા, સુકો મેવો, મીઠાઈઓ માફક આવે અને પચે એ રીતે ખાઈ શકાય.
પિત્ત કરનારા અને પચવામાં ભારે બની જાય એવા ભાજી અને મૂળા તો ક્યારેય ના ખવાય.
ચણા ની બનાવટો વાયુ કારક હોવાથી ચણા, દાળિયા, ગાંઠિયા, ભજીયા થી દુર રહેવું.
આ ઋતુ માં મગફળી નવી નવી આવે છે પણ તે પચવામાં ભારે હોય છે.
કડવા રસવાળા જેવાં કે કુંવારપાઠું, કારેલાં, કંકોડાં, કડુ, કરિયાતુ, ગળો, મામેજવો વગેરે ખાવાથી તે લિવરને શુદ્ધ અને કાર્યક્ષમ બનાવે છે.
વરસાદ પડે અને ફેસબુક ઉપર દાલવડા ના ફોટા જોઈ ખાવા દોડી જવું બહુ સારું નથી. બે મિનીટ ચટણી ના લીધે મજા આવે પણ પાછળ થી વાયુ પુષ્કળ થાય છે.
કોઇ પણ ફળ ખાધા પછી કે બપોરના અને રાતના ભોજન પછી 30 મિનીટ સુધી પાણી ના પીવાથી પાચનક્રિયા સારી રહે છે. થોડી સાવચેતી રાખી અને આ દરેક ટિપ્સને તમારા રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાથી તમારું સ્વાસ્થ્ય સુધરી શકે છે.