જો પેટની બીમારીઓની વાત કરીએ તો પેટમાં કબજિયાત (constipation) રહેવી એક ખૂબ મોટી સમસ્યા છે. જો તમારું પેટ સાફ નથી થતું, તો સારી રીતે ઊંઘ પણ નહી આવે. તેના માટે આ ઉપાય ખૂબ જ કારગર છે.
કબજિયાતની સમસ્યા હોય તો અપનાવો આ ઘરેલૂ નુસ્ખા
આ ઘરેલૂ ઉપચાર કરવાથી જડમૂળથી ખતમ થશે કબજિયાત
આ ઉપાયનો એક વખત જરૂરથી ઉપયોગ કરજો
આજના સમયમાં ઘણા લોકો ગેસ અને કબજિયાતની સમસ્યાથી પરેશાન છે. તમારી ખાણીપીણીની કુટેવ એનું સૌથી મોટું કારણ છે. આજ લોકોને જંક ફૂડ ખાવાનું વધારે પસંદ હોય છે, જે ટેસ્ટી પણ હોય છે. જો કે એ ખાવાથી આપણને ઘણી બિમારીઓ ઘેરી લે છે. આજ પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓથી લઇને ઘણી ચીજોનો સહારો લે છે. તમે ઇચ્છો તો લોટ બાંધતી વખતે એમાં એક ખાસ ચીજ મિક્સ કરીને આ પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો.
સપ્તાહમાં કોઇ પણ એક દિવસ લોટ બાંધતી વખતે એક નાની ચમચી ઓટ્સ પાઉડર મિક્સ કરી દો. આ એક ખાદ્ય પદાર્થ છે જે ઘણા બધ અનાજને મિક્સ કરીને બનાવાય છે. આ તમને બજારમાંથી સરળ રીતે મળી જશે. તમને એનું પરિણામ આગળના દિવસે મળી જશે.
આ છે કબજિયાતના લક્ષણો
ભૂખમાં કમી મોઢાનો સ્વાદ બગડવો
ચક્કર આવવા પેટમાં દુખાવો અને ભારે લાગવું
તાવ પેટનું ફૂલેલું રહેવું
શું હોય છે કબજિયાતની ફરિયાદ
કબજિયાત થવાનું કારણ પાણી ઓછું પીવાનું હોઇ શકે છે. દિવસભરમાં ઓછામાં ઓછુ 3 થી 4 લીટર પાણી જરૂર પીવું જોઇએ.
ઘણા બધા લોકો ટૉયલેટ જવાની જરૂર હોય તો પણ કોઇ પણ કામના વ્યસ્ત અથવા ઊંધના કારણે તેઓ ટાળે છે જેના કારણે પણ કબજિયાતની સમસ્યા રહે છે.
જરૂર કરતા વધારે કોલ્ડ ડ્રિંક અને દારૂનું સેવન કરવું. ભૂખ હોય તેમ છતાં ઓછું ખાવાથી તમને કબજિયાત દૂર થાય છે.