છેલ્લા બે વર્ષની અંદર જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓએ આત્મહત્યા કરી લીધી અને પોતાના નવજીવન પર હતાશાને હાવી કરી દીધી. સુશાંતસિંહ રાજપુત , કૌશલ પંજાબી, નીતિન કપૂર, પ્રત્યુસા બેનર્જી અને જીયા ખાન.આ તમામ લોકોની આત્મહત્યા પાછળના કારણોમાં હતાશા ખાસ જોવા મળી હતી. સુશાંતસિંહ રાજપૂતે પણ હતાશામાં આવીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે ચર્ચાઈ રહ્યુ છે. જોકે સાચુ કારણ FSL અને પોલીસ તપાસના રિપોર્ટ બાદ ખબર પડશે. પરંતુ અહી મુદ્દો એ છે કે શું હતાશા બાદ આત્મહત્યા કરી જ લેવી એ ઉકેલ છે.શું હતાશા કે પછી અન્ય કારણોથી આપણે હારી જ જઈશું?. જીવનનું બીજું નામ જ મુશ્કેલી છે તો પછી તેની સામે લડવા માટે આપણે ક્યારે તૈયાર થઈશું. મહામુલા જીવન સામે હતાશાનો અંત ક્યારે લાવીશું. આ સહિતના પ્રશ્નો પર છે આજનું મહામંથન