અરવલ્લી જીલ્લાનાં વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો આવતા દિવસે ગરમીનું પ્રમાણ વધ્યું છે જ્યારે રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ નહીવત વરસાદ અને શાકભાજીના ઓછા ઉત્પાદનના કારણે જીલ્લામાં આયાતી શાકભાજીના ભાવોમાં ભડકો જોવા મળી રહ્યો છે જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડતા ગૃહિણીઓ પરેશાન થઇ છે.
ચાલુ વર્ષે હાલ પડી રહેલી વધુ પડતી ગરમી અને બેવડી ઋતુના કારણે હાલ જીલ્લાના વાતાવારણમાં વધુ પડતા ફેરફાર જણાઈ રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ જીલ્લા વાસીઓ કરી રહ્યા છે.
બીજી બાજુ ચાલુ વર્ષે અનિયમિત વરસાદ અને વધેલી ગરમીનાં કારણે તેની સીધી અસર શાકભાજીના ઉત્પાદન ઉપર વર્તાઈ છે અને જેના કારણે વેપારીઓને શાકભાજી જીલ્લા બહાર થી લાવવું પડી રહ્યું છે ત્યારે આ આયાતી શાકભાજીના ભાવ આસમાને પહોચતા જીલ્લામાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.
જીલ્લામાં શાકભાજીના ભાવમાં ૫૦ ટકાથી ૧૦૦ ટકા સુધીનો વધારો થયો છે ત્યારે આ વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને ગૃહિણીઓ પરેશાન થઇ ગઈ છે.
સામાન્ય રીતે વાત કરવામાં આવેતો લીંબુ જે અગાઉ ૪૦ના કિલો મળતા હતા જે હાલ ૯૦ના કિલો આદુ જે ૬૦નું કિલો મળતું હતું જે હાલ ૮૫નું કિલો ભીંડા અગાઉ ૩૦ના કિલો હતા જે હાલ ૫૦ના કિલો કોબીજ જે અગાઉ ૧૦ની કિલો હતી જે હાલ ૨૦ની કિલો વાલોર જે અગાઉ ૨૦ની કિલો હતી જે હાલ ૬૦ ની કિલો રીંગણ જે અગાઉ ૬નાં કિલો હતા જે હાલ ૨૦ના કિલો મળી રહ્યા છે.
આમ જીલ્લાના વાતાવરણમાં આવેલા ફેરફાર અને અનિયમિત વરસાદની અસર હાલ જીલ્લાના શાકભાજી બજાર ઉપર પડી છે અને જેના કારને તેનો બોજ ગૃહિણીઓને સહન કરવાનો વારો આવ્યો છે.