અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં ભગવાન રામ લલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે. રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે આ મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે એમ પણ જણાવ્યું કે, મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં એક કાર્યક્રમ બાદ રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રામ લલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવશે.
મહારાષ્ટ્રના CM જશે અયોધ્યા
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નજીકના સહયોગીએ બુધવારે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન એકનાથ શિંદે આ મહિનાના અંતમાં રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના અંત પછી અયોધ્યાની મુલાકાત લેશે. શિંદે 25 માર્ચે બજેટ સત્ર બાદ ભગવાન રામની પૂજા કરવા અયોધ્યા જશે.
At present, the work of Ram temple is 70% complete. By third week of January 2024, the idol of Lord Ram will be established and arrangements will be made for devotees to visit & offer prayers from that day itself: Swami Govind Dev Giriji Maharaj, Treasurer, Shri Ram Janmabhoomi… https://t.co/o6eHZIt3Chpic.twitter.com/5gKta7nUaJ
લોકો મંદિર માટે ઉદાર હાથે આપી રહ્યા છે દાન
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ માટે લોકો મુક્તપણે દાન કરી રહ્યા છે. આ દરમિયાન ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવતા રોકડ દાનમાં પણ વધારો થયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના એક અધિકારીએ જણાવ્યું કે, રામ મંદિર માટે આપવામાં આવતા રોકડ દાનમાં ત્રણ ગણો વધારો થયો છે. તેમણે કહ્યું ક, રામજન્મભૂમિ પર આવતા ભક્તો મોટી માત્રામાં રોકડ દાન કરી રહ્યા છે.
પહેલા કરતા દાનમાં ત્રણ ગણો વધારો
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દાન પેટીમાંથી નીકળતી ચલણી નોટો ગણવા અને જમા કરવા માટે નિયુક્ત કરાયેલા બેંક અધિકારીઓએ ટ્રસ્ટને જણાવ્યું છે કે, રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવેલા દાનમાં અગાઉની સરખામણીમાં ત્રણ ગણો વધારો થયો છે. તેમણે કહ્યું કે, હવે દાન પેટીમાંથી એક સાથે નિકાળવામાં આવતી રકમની ગણતરી કરવામાં 15 દિવસનો સમય લાગે છે. માત્ર 15 દિવસમાં દાનની રકમ એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.