રાજકોટના ધોરાજી જિલ્લામાં આવેલુ જમનાવડ ગામ જે વિકાસની દોડ લગાવી રહ્યું છે. સરપંચ હજુ પણ ખેડૂતોની ચિંતા કરીને ગામથી ખેતર સુધીનો રસ્તો બનાવવાનું સપનું જોઈ રહ્યા છે.
વિકાસપથ પર ધોરાજીનું જમનાવડ
એક એવું ગામ,જ્યાં સુવિધાઓ ભરપૂર
આદર્શ ગ્રામની વ્યાખ્યા ચરિતાર્થ
આગામી સમયમાં ગ્રામપંચાયતની ચુંટણી યોજાવાની છે ત્યારે અનેક ગામો એવા છે જેમણે શહેર સાથે તાલથી તાલ મિલાવી લીધો છે અને આપણે એવા ગામની વાત કરીશુ. આપણે વાત કરીશું ધોરાજીના જમનાવડ ગામની. આ ગામના દ્રશ્યો જોઈને શહેર અને ગામનો ભેદ ભૂલી જવાશે..
રાજકોટના ધોરાજી જિલ્લામાં આવેલુ જમનાવડ ગામ જે વિકાસની દોડ લગાવી રહ્યું છે. ગામનો વિકાસ કોને કહેવાય તે આ ગામના દૃશ્યો જોઈને તમે અંદાજો લગાવી શકો છો. ગામમાં પ્રવેશતાની સાથે જ સુંદર ગેટ બનાવવામા આવ્યો છે. ગેટની બાજુમાં શહેરની જેમ તમામ સુવિધાથી સજ્જ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામ એક દમ સ્વચ્છ છે કોઈપણ પ્રકારનો કચરો કે ગંદકી આ ગામમાં જોવા મળતી નથી.તેનો શ્રેય સરપંચ અને તેમની ટીમને આભારી છે..એક યુવાન ધારે તો ગામની કાયાપલટ કેવી રીતે કરી શકે છે તેનું જીવનું ઉદાહરણ આ ગામ છે..ગામના રસ્તા ગામની સ્વછતા જોતા જ ગામના વહીવટ અને ગામમાં થયેલ કામો આંખે ઉડીને વળગે તેવા છે...ત્યારે ગામના વિકાસમાં સહભાગી થતા ગામના લોકો શું કહે છે સાંભળીએ.
ખર્ચનું કોઈ ભારણ નહિ
જમનાવડ ગામમાં આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર પણ બનાવેલા છે. નાનું ગામ હોવા છતા કોરોનાની મહામારીને લઈને આઈસોલેશન સેન્ટર પણ બનાવ્યું છે. આ ઉપરાંત ગામના 80 ટકા રોડ RCCથી બનાવ્યા છે. અને આખા ગામમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર બ્લોક અને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે, ગામના આ બધા કામ કરવા માટે જે ફંડ અને પૈસાની જરૂર પડે તે માટે બે મોબાઈલ ટાવરની જગ્યા ભાડે આપી છે..અને તેમાંથી જે આવક થાય છે તેમાંથી ગામમાં સુખ સુવિધાઓ ઉભી કરે છે..જેના કારણે ગામના લોકોને ખર્ચનું ભારણ નડતુ નથી .સરપંચ હજુ પણ ખેડૂતોની ચિંતા કરીને ગામથી ખેતર સુધીનો રસ્તો બનાવવાનું સપનું જોઈ રહ્યા છે.
લાઉડસ્પીકરથી ઘેર-ઘેર માહિતી
કોરોનાકાળમાં પણ ગામ લોકો અને સરપંચના સહિયારા સહયોગથી ગામને કોરોના મુક્ત બનાવ્યું છે.આરોગ્ય કેન્દ્રની બાજુમાં નાનું આઈસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે...અને આરોગ્યની ટીમ ગામમાં સમયસર આવીને લોકોને ચેક કરે છે. આ ઉપરાંત આગણવાડીની સુવિધા કરાઈ છે. અને સૌથી મહત્વનું કે ગામના લોકોને ઘરે બેઠા જ સંદેશો મળી જાય તે રીતે ગામમાં લાઈડ સ્પીકરો મુકવામાં આવ્યા છે. લાઉડસ્પીકરના માધ્યમથી ગામના તમામ લોકોને એક સાથે જરૂરી માહિતી પુરુ પડાય છે.
પીવાનું ચોખ્ખું પાણી
આ ગામમાં પીવાના પાણી માટે હંમેશા કોઈને કોઈ સમસ્યા હોય છે. ત્યારે ધોરાજીના આ ગામના લોકોને ચોખ્ખુ પીવાનું પાણી મળે તે હેતુથી ગામમાં ROનો પ્લાન્ટ બનાવ્યો છે.. અને ગામના લોકોને માત્ર 5 રૂપિયામાં 20 લિટર પાણી આપવામાં આવે છે. આ પ્રકારની સુવિધા આસપાસના 50 ગામોમાં નથી...તેના કારણે ગામના લોકો ખુબજ આનંદની લાગણી વ્યકત કરી રહ્યા છે.