ક્યારે ત્રાટકશે તૌકતે વાવાઝોડું, કેટલું દૂર છે તૌકતે, કેટલી ઝડપે પવન ફુંકાશે તમામ અપડેટ માટે જૂઓ અમારી સાથે
તૌકતે વાવાઝોડાનું સંપૂર્ણ માહિતી
ક્યારે અને ક્યાં ત્રાટકશે તૌકતે વાવાઝોડું
છેલ્લા 6 કલાકથી 15 કિ.મી ઝડપે વધી રહ્યું છે આગળ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લામાં સુધી સ્થિતિ છે તેનો ચિતાર આપને જણાવી રહ્યા છીએ
ક્યારે અને ક્યાં ત્રાટકશે તૌકતે વાવાઝોડું
તૌકતે વાવાઝોડું હાલ ઉત્તર-પશ્વિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, આ વાવાઝોડું વેરાવળ બંદરથી આશરે 260 કિ.મી દૂર છે, વાવાઝોડું છેલ્લા 6 કલાકથી અંદાજીત 15 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે.વાવાઝોડું આજે સૌરાષ્ટ્રમા ત્રાટકવાનું છે જેને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને હાઈએલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે.
6 કલાકથી 15 કિ.મી ઝડપે વધી રહ્યું છે આગળ
તૌકતે વાવાઝોડાંને કેટેગરી-4નું વાવાઝોડું જાહેર કરાયું છે, હવામાન વિભાગ પ્રમાણે જે અત્યંત ગંભીર વાવાઝોંડુ માનવામાં આવે છે, કેટેગરી-4માં 225થી279 કિ.મીની ઝડપે પવન ફુંકાય છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકવાની સંભાવના સેવાઈ રહી છે, વેરાવળ અને જાફરાબાદમાં પણ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે મહત્વનું છે કે આ સિગ્નલ 25 વર્ષ બાદ લગાવવામાં આવ્યું છે.
Mumbai | Heavy rain & gusty winds were seen in view of Cyclone Tauktae
અમદાવાદ:
અમદાવાદ વાવાઝોડાંન લઈ તંત્ર એલર્ટ બન્યું છે, સિવિલ હોસ્પિટલ દ્વારા ઓક્સિજન માટે નવી ટેન્ક ઉભી કરાઈ છે, તેમજ ઝાડ પર ટ્રિમિંગ કરાય છે, સિવિલ દ્વારા તમામ સ્ટાફને હાજર રહેવાનું જણાવાયું છે, ફાયર બ્રિગેડે તમામ સ્ટાફની રજા રદ્દ કરી દીધી છે અને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
મોરબી:
માળીયા-મીયાણામાં ભારે પવન ફુકાવાનું શરૂ થયું છે, નવલખી બંદર પર 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે દરિયામાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે જ્યારે જુમાવાડી વિસ્તારમાં 1 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે
રાજકોટ :
રાજકોટના પડધરી વિસ્તારના આસપાસના ગામોમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, 10 જેટલી રેસ્ક્યૂ બોટ ફાયર સ્ટેશનમાં એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે. ભારે પવનને કારણે મોટી ચણોલ ગામે વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે,
અમરેલી :
જાફરાબાદમાં બંદર પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યા છે, દરિયા કિનારે લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવ્યો છે, દરિયાકિનારાના વિસ્તારોમાં 144 લાગુ કરવામાં આવી છે. દરિયામાં કરંટ વધતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખંભાત :
ખંભાતમાં NDRFની 2 ટીમ આવી પહોંચી છે, 1 ટીમ રાલજ અને 1 ટીમ ધુવારણ ખાતે સ્ટેન્ડ બાય કરાઈ છે, પુનાથી ખાત 2 ટીમ મધ્ય ગુજરાતમાં સ્ટેન્ડ બાય કરાય છે.
વલસાડ:
તૌકતે વાવાઝોડાને લઇ વલસાડ જિલ્લા તંત્રે અલર્ટ આપ્યું છે, દરિયા કિનારાના 84 ગામોને અલર્ટ પર રખાયા છે, જિલ્લા અધિકારીઓની ટીમ સતત નજર રાખી રહી છે. એમ્બ્યૂલન્સની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે,દરિયાકાંઠાના વિસ્તારોમાં 600થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 48 કોવિડ હોસ્પિટલોમાં પાવન બેકઅપની વ્યવસ્થા પણ કરાઈ છે, ઈમરજન્સીમાં વધુ સ્ટાફની જરૂર પડે તો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે, દરિયાકાંઠા વિસ્તાર 84 ગામમાં 125 શેલ્ટર હોમ બનાવાયા છે
પોરબંદર:
દરિયામાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે, કરંટના કારણે મોજા ઉંચા ઉછળી રહ્યા છે, સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, બંદર પર હાલ 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
નવસારી:
તૌકતે વાવાઝોડાને લઇ નવસારી જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે નવસારીના 14 ગામ અલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે 14 ગામમાંથી 1 હજાર 100 લોકોનું સ્થળાંતર કરાયું છે,નવસારીમાં NDRFની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વાવાઝોડાને લઇ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત ટીમને સ્ટેન્ડ બાય રખાઇ આફતને પહોંચી વળવા તંત્ર થયું સજ્જ બન્યું છે.
ખેડા:
તૌકતે વાવાઝોડાને લઈ ખેડા જિલ્લાના કલેક્ટર દ્વારા બેઠક યોજાઇ, હાલ NDRFની એક ટીમ માતરમાં તૈનાત કરી દેવાઇ છે. માતરના 4 ગામોના 116 લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં બેનરો અને હોર્ડિંગ્સ ઉતારવા આદેશ આપવામાં આવ્યા છે. ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં કંટ્રોલરૂમ શરૂ કરાયું છે.10 તાલુકાઓમાં ક્વીક રિસ્પોન્સ ટીમ તૈનાત કરાઇ છે.