દુનિયામાંથી કોરોના મહામારી ક્યારે વિદાય લેશે તેને લઈને નિષ્ણાંતોએ મહત્વનો ખુલાસો કર્યો છે.
વાયરસ હવે આંતરરાષ્ટ્રીય ચિંતા નથી તેવું જણાય ત્યારે થઈ શકે અંતની જાહેરાત
કોઈ નિશ્ચિત દિવસે કોરોના મહામારીના અંતની જાહેરાત ન થઈ શકે
મહામારીના અંતની જાહેરાત માટેની કોઈ નિશ્ચિત ધોરણ નથી
કોરોના મહામારી વિશ્વને સતાવી રહી છે અમેરિકા અને યુકે જેવા દેશોમાં કોરોનાની ચોથી અને પાંચમી લહેર સુધી પહોંચી ગયા છે. જોકે બીજા ઘણા દેશોમાં કોરોનાના દૈનિક કિસ્સાઓ ખૂબ જ ઓછા છે અને આ દેશોમાં સામાન્ય જીવન પણ કોરોના પહેલા સમયમાં પુર્વવત થઈ રહ્યું છે. કોરોના મહામારીનો અંત કેવી રીતે નક્કી થશે અને સમગ્ર વિશ્વ માટે કોણ નિર્ણય લેશે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ પ્રશ્નોના જવાબો શું છે?
રોગચાળાની શરૂઆત અને અંતની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી-વૈજ્ઞાનિકો
વૈજ્ઞાનિકોના મતે, રોગચાળાની શરૂઆત અને અંતની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, અને વૈશ્વિક રોગચાળાનું જોખમ દરેક દેશમાં બદલાઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ઇમરજન્સી સિસ્ટમના વડા ડો. માઇકલ રાયનના જણાવ્યા અનુસાર, રોગચાળા અંગેનો નિર્ણય તેના ડેટા પૂરતો મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિલક્ષી નિર્ણય છે. તે રોગચાળાની તીવ્રતા અને અસર પર પણ આધાર રાખે છે. વાયરસ હવે આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય નથી રહ્યો ત્યારે થશે અંતની જાહેરાત
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નિષ્ણાતોની સમિતિને જ્યારે લાગે કે વાયરસ હવે આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય રહ્યો નથી ફક્ત ત્યારે જ તેને રોગચાળાની શ્રેણીમાંથી વાયરસને દૂર કરવાનો નિર્ણય લેશે.
કોઈ નિશ્ચિત દિવસે કોરોના મહામારીના અંતની જાહેરાત ન થઈ શકે
ડ્યુક યુનિવર્સિટીના ચેપી રોગનિષ્ણાત ડો. ક્રિસ વુડ્સના જણાવ્યા અનુસાર, કોઈ નિશ્ચિત દિવસે કોરોના મહામારીના અંતની જાહેરાત ન થઈ શકે. મહામારીને સમાપ્ત કરવાના કોઈ નિશ્ચિત ધોરણ નથી.