મહારાષ્ટ્ર સરકારે પ્રોડ્યૂસર્સને સીરિયલ્સનું શૂટિંગ કરવાની શરતી મંજૂરી આપી છે. જેમાં એક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સની સેફ્ટી, સેટનું સેનિટાઈઝેશન કરવું, સેટ પર ડોક્ટર્સ અને નર્સો સહિત એમ્બ્યુલન્સની સુવિધા હોવી. સેટ પર 65 વર્ષની વધુની ઉંમરના લોકોને શૂટિંગ કરવા પર મનાઈ ફરમાવામાં આવી છે. એવામાં તારક મહેતામાં ગોકુલધામ સોસાયટી અને તેના આટલાં બધાં મેમ્બર્સ હોવાથી પ્રોડ્યૂસર અસિત મોદીને ઘણી પરેશાની થઈ રહી છે કે, તે કઈ રીતે શૂટિંગ શરૂ કરે.
મુંબઈમાં સરકારે શૂટિંગ માટે આપી શરતી મંજૂરી
તો હવે તારક મહેતાનું શૂટિંગ શરૂ કરવાની ચાલી રહી છે તૈયારી
શોના પ્રોડ્યૂસરે જણાવ્યું ક્યારે શરૂ થશે શૂટિંગ
અસિત મોદીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ગવર્મેન્ટએ જે ગાઈડલાઈન્સ આપી છે તે મુજબ આપણે શૂટ કરવું પડશે અને હાલ તેના પર કામ ચાલી રહ્યું છે. ટીમ્સ અને એક્ટર્સની સાથે ડિસ્કશન ચાલી રહ્યું છે પરંતુ બધાંને ડર પણ છે કે, કઈ રીતે બધું સંભવ થશે.
તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મહેતાએ જણાવ્યું કે, સરકારે જે ગાઈડલાઈન્સ આપી છે તે મુજબ અમારે શૂટિંગ કરવું પડશે અને હાલ તે અંગે પ્લાનિંગ ચાલી રહ્યું છે. નવી ગાઈડલાઈન પ્રમાણે સેટ પર ડોક્ટર રાખવો પડશે, જે પોસિબલ નથી કારણ કે ડોક્ટર્સની હાલ કમી છે. ડોક્ટર આખો દિવસ સેટ પર શું કરશે, જેથી મારું એવું માનવું છે કે, ડોક્ટરને સ્ટેન્ડબાય રાખવું જોઈએ, જેથી જ્યારે જરૂર પડે ત્યારે બોલાવી લેવાય. અસિત મોદીએ આગળ કહ્યું કે, બીમાર લોકોને સેટ પર નહીં બોલાવીએ પણ ઘણાં એક્ટર્સ 60 વર્ષની આસપાસની ઉંમરના છે જેથી તેમને તો બોલાવવા પડશે, નહીં તો કેબીસીનું પણ શૂટિંગ નહીં થાય. તે તેના માટે પરમિશન લેવી પડશે.
ક્યારે શરૂ થશે શૂટિંગ
આટલી જલ્દી શૂટિંગ શરૂ કરવું સરળ નથી. અત્યારે પેપર વર્ક ચાલી રહ્યું છે અને સાથે જ અમે બધી તૈયારીઓમાં લાગેલા છે અને અમે બધું સમજી વિચારીને શૂટિંગ શરૂ કરીશું. પણ એ વાત પણ સાચી છે કે, દર્શકો માટે અમે જેટલું શક્ય હોય એટલું જલ્દી શૂટિંગ શરૂ કરીશું. હાલ સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે, કારણ કે હવે સ્ટોરીમાં કલાકારોમાં પણ ફેરફાર કરવા પડશે.
અસિત મોદીએ દયાબેનની વાપસી પર કહ્યું કે, અમુક પર્સનલ કારણોથી તે વાપસી નથી કરી શકી રહી. ત્યારે સીરિયલનું શૂટિંગ શરૂ કરવા અંગે અસિત મોદીએ કહ્યું કે, સરકારની તમામ ગાઈડલાઈન્સને ફોલો કરતાં શૂટ આટલું જલ્દી શરૂ કરવું મુશ્કેલ છે. જેથી દર્શકોએ તેમના ફેવરિટ શો તારક મહેતા માટે થોડી રાહ જોવી પડશે.