ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સપ્ટેમ્બર 2018 બાદથી ભારતીય ટીમ માટે ટેસ્ટ મેચ નહીં રમ્યો. ગઈ વખતે પંડ્યાએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. હવે શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરીઝ પહેલા તેણે પોતાની ટેસ્ટ મેચમાં વાપસી પર નિવેદન આપ્યું છે.
હાર્દિક પંડ્યાએ સપ્ટેમ્બર 2018 બાદ નથી રમી ટેસ્ટ
ટેસ્ટ મેચમાં વાપસી પર આપ્યુ નિવેદન
જાણો ક્યારે ટેસ્ટ મેચ રમશે હાર્દિક પંડ્યા?
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરીઝમાં કેપ્ટન્સી કરી રહ્યા છે. તેને પીઠમાં ઈજા બાદ IPL 2022 સીરિઝમાં શાનદાર વાપસી કરી હતી. તેણે પોતાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સને IPLની પહેલી ટ્રોફી જીતાડી હતી.
તેના દમ પર જ હાર્દિક પંડ્યાએ વ્હાઈટ બોલ ક્રિકેટ માટે ભારતીય ટીમમાં પોતાની મજબૂત જગ્યા બનાવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હાર્દિક પંડ્યાને અમુક ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન પણ બનાવ્યા છે. પરંતુ ફેંસ હવે હાર્દિકને ટેસ્ટ ક્રિકેટમાં પણ જોવા માંગે છે.
ટેસ્ટ ક્રિકેટમાં વાપસી પર આપ્યો આ જવાબ
હાર્દિક પંડ્યાએ સપ્ટેમ્બર 2018 બાદથી ભારતીય ટીમ માટે ટેસ્ટ મેચ નથી રમી. થોડા સમય પહેલા પંડ્યાએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. હવે શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરિઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે હાર્દિકને ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા માટે સવાલ કર્યો તો તેણે આવો જવાબ આપ્યો હતો.
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે પહેલા મને સંપૂર્ણ રીતે બ્લૂ કલરમાં તો રંગાઈ જવા દો. ત્યાર બાદ વ્હાઈટ રંગ વિશે વિચારવામાં આવશે.
'હું મહેનતની ભાષા જાણુ છું'
હાર્દિકે હવે બોલિંગના વર્કલોડને પણ સંપૂર્ણ રીતે સંભાળવાની વાત કરી છે. તેણ કહ્યું- "હું મહેનતની ભાષા જાણુ છું. હું સખત મહેનતથી જ તેને મેનેજ કરી રહ્યો છું. મહેનત કરતા રહો. ઈન્જરી અને બાકીની વસ્તુઓ રમતનો ભાગ છે. હું તેને ન બદલી શકુ, પરંતુ મે જે કર્યુ છે તેના પર મને સંપૂર્ણ ભરોશો છો. હું મારા કામ પર વિશ્વાસ કરૂ છું. જો મને અહીં સુધી લાવ્યું છે. આગળ પણ વધતો રહીશ."