જેઠાલાલની પત્ની દયાબેનનું કેરેક્ટર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. દિશા વાકાણી મેટરનિટી લીવ ઉપર છે. સીરિયલમાં તેમની વાપસી અંગે લોકોમાં ચિંતા મળી રહે છે.
હાલમાં દયાબેન આ શોમાંથી ગાયબ થઈ ગયા છે.
દિશા વાકાણી મેટરનિટી લીવ ઉપર છે.
તારક મહેતામાં જોવા મળશે નવા દયાભાભી.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવી ટીવી સીરિયલ છે, જે તમામ ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે. સીરિયલમાં તમામ પાત્રએ ખૂબ જ વિશેષ ઓળખ ઉભી કરી છે. જેઠાલાલની પત્ની દયાબેનનું કેરેક્ટર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. હાલમાં દયાબેન આ શોમાંથી ગાયબ થઈ ગયા છે. દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી મેટરનિટી લીવ ઉપર છે. સીરિયલમાં તેમની વાપસી અંગે લોકોમાં ચિંતા મળી રહે છે. ફિલ્મ મેકર્સને દયાબેન અંગે સવાલ પૂછવામાં આવ્યા. જે અંગે પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ જણાવ્યું છે કે, દયાબેન સીરિયલમાં વાપસી શા માટે નથી કરી રહ્યા.
તારક મહેતામાં જોવા મળશે નવા દયાભાભી
દિશા વાકાણી પોતાના પરિવારને સમય આપવા માંગે છે. દિશા વાકાણીને બે બાળકો છે અને તે તેમની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગે છે. શો નિર્માતાઓ માટે આ એક ખૂબ જ મોટી ચેલેન્જ છે. દયાબેન તરીકે એક નવો ચહેરો ઊભો કરવો તે ખૂબ જ મુશ્કેલ છે. દિશા વાકાણીની જગ્યા લઈ શકે તે નવા ચહેરાની હાલમાં તલાશ કરવામાં આવી રહી છે.
દિશા વાકાણીને રિપ્લેસ કરવી ખૂબ જ મુશ્કેલ છે
અસિતકુમાર મોદી જણાવે છે કે, તેઓ દિશા વાકાણીની વાપસી અંગેના સંવાદના જવાબ આપી આપીને થાકી ગયા છે. તેઓ જણાવે છે કે, મેં તેમને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી કે, દર્શકોનો પ્રેમ મેળવવો એ સરળ વાત નથી. દર્શકોએ આ શોને ખૂબ જ પ્રેમ આપ્યો છે, જેથી આપણે પણ ખૂબ જ મહેનત કરવી પડશે. દિશા વાકાણીને રિપ્લેસ કરવી સરળ નથી. જે માટે તેમણે ખૂબ જ મહેનત કરવી પડશે. હું ઇચ્છું છું કે, દિશા વાકાણી જ દયાબેનનું પાત્ર ભજવે. તેઓ મારી બહેન જેવા છે અને તેઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. જો તેઓ સીરિયલમાં વાપસી કરવા નથી માંગતા. તો હું તેમને મજબૂર નહીં કરી શકું.
દિશા વાકાણી તારક મહેતામાં વાપસી નહીં કરે
આ સીરિયલના પ્રોડ્યુસર નવા દયા ભાભીની તલાશ કરી રહ્યા છે. તેમના જેવું જ પાત્ર શોધવું તે ખૂબ જ એક મોટો પડકાર છે. દયાબેને પોતાની સ્ટાઈલ અને એક્ટિંગથી લોકોને પ્રભાવિત કરી દીધા હતા. આ કારણોસર દયાબેનનું પાત્ર ભજવવું તે સરળ વાત નથી. તે માટે વધુ સમય પણ લાગી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં દયાબેનની વાપસી થશે.