કોરોના મહામારીના અંતને લઈને WHO વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને એક રાહતના સમાચાર આપ્યાં છે.
કોરોના મહામારીના અંતને લઈને WHO વૈજ્ઞાનિકની મોટી જાહેરાત
2022ના અંતમાં કોરોના દુનિયામાંથી જતો રહેશે
ત્યાં સુધી સાવધાની રાખવી જરુરી
કોરોના મહામારી સામે લડત આપ્યાને 2 વર્ષ થયા છે. દુનિયાભરના લોકો હવે તેનાથી છુટકારો મેળવવા માંગે છે. તેમાં વૈજ્ઞાનિકો પણ સામેલ છે. તેમના માર્ગમાં કેટલીક મુશ્કેલીઓ છે અને કેટલીક આશાઓ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને એક ઇન્ટરવ્યૂમાં કોવિડ સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપી છે. તેમાં તેમણે કોરોનાની ઉત્પત્તિ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી, તે ક્યારે ખતમ થશે અને શું સાવધાની રાખવી. સૌમ્યાએ આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2022ના અંત સુધીમાં આપણે ઘણી સારી સ્થિતિમાં આવી શકીએ છીએ.
2022 સુધીમાં બધુ સારું થઈ જશે
સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે મને લાગે છે કે હાલની પરિસ્થિતિ જોતા 2022ના અંત સુધીમાં બધુ નોર્મલ થઈ શકે છે. જોકે સાવચેતી ન રાખવી એ મૂર્ખામી હશે. આશા છે કે 2022ના અંત સુધીમાં અમે ખૂબ જ સારી સ્થિતિમાં આવી જઈશું. કોઈપણ વેરિઅન્ટ ગમે ત્યાંથી આવે છે અને અમે ત્યાં પાછા આવીએ છીએ. તેથી તમારે સાવચેત રહેવું પડશે.
ચામાચીડિયામાંથી કોરોના કેવી રીતે આવ્યો?
સૌમ્યા સ્વામિનાથને જ્યારે પૂછવામાં આવ્યું કે કોરોનાનો જન્મ કેવી રીતે થયો, તો તેમનો જવાબ હતો, બધા નવા વાયરસ ઝૂનોટિક છે. આનો અર્થ એ થયો કે પ્રાણીઓ માણસો સુધી પહોંચી ગયા છે. જેમાં એચઆઈવી, ઝિકા વાયરસ, ઈબોલા, એસએઆર, એમઈઆર અને બે કોરોના વાયરસ સામેલ છે. કોરોના વાયરસના જિનેટિક સિક્વન્સિંગને જોતા કહી શકાય કે તે કદાચ ચામાચીડિયામાંથી આવ્યો છે. જો કે, તે ક્યાં, કેવી રીતે અને ક્યારે પ્રાણીઓથી માણસો સુધી પહોંચ્યો તે જાણી શકાયું નથી.