દેશમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેનો પ્રસ્તાવિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્યારે સાકાર થશે અને લોકો તેમાં સવારી ક્યારે કરી શકશે?
આનંદો! અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલૅટ ટ્રેન શરૂ થવા મામલે મોટા સમાચાર
રેલવે મંત્રીએ જણાવી તારીખ
2027 પહેલા શરૂ થવાના આપ્યા સંકેત
તેના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે 2027 પહેલા કોઈ પણ સંજોગોમાં બુલેટ ટ્રેન દોડવાનું શરૂ થઈ જશે. જોકે, તેમણે એ પણ કબૂલ્યું હતું કે હજુ જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું નથી.
રેલવે મંત્રીએ આપી તારીખ
ખાનગી ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં રેલ્વે મંત્રીએ કહ્યું કે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કામ હજુ પૂર્ણ થયું નથી, પરંતુ તે નિર્ધારિત સમય સુધીમાં પૂર્ણ થઈ જશે. "તે ચોક્કસપણે 2026 સુધીમાં પૂર્ણ થશે," તેમણે કહ્યું. મોડું થાય તો પણ એક વર્ષ થશે. ભલે તે મોડું થાય, તે 2027 સુધીમાં થશે, આનાથી વધુ નહીં.
અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલશે બુલેટ ટ્રેન
નોંધપાત્ર વાત એ છે કે, જાપાનની મદદથી ભારત મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે પ્રોજેક્ટ પર કામ માર્ચ 2020 માં શરૂ થશે. 1.08 લાખ કરોડના ખર્ચનો આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂરો કરવાનો હતો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોરમાં 12 સ્ટેશન હશે.
2023નો પૂર્ણ કરવાનો ટાર્ગેટ આ કારણે 2026 સુધી લંબાયો
મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં પ્રોજેક્ટની કામગીરી પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે તેમજ વડોદરાથી વાપી સુધીમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાઈ રહ્યા છે મહત્વનું છે કે સપ્ટેમ્બર 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે બાદ આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો પરંતુ જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ અને કોરોના મહામારીને પગલે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં હજુ 5 વર્ષથી વધુનો સમય લાગી શકે છે પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવશે તેવી જાહેરાત રેલવે મંત્રીએ જાહેરાત પહેલાથી કરી દેવામાં આવી છે હવે 15મી ઓગસ્ટ 2026ની તારીખ પણ આપી દેવાઈ છે.
પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.1 લાખ કરોડ રૂપિયા છે
જે જાપાન સરકાર દ્વારા પૂરો કરવામાં આવશે. PM મોદીએ 2017ના વર્ષમાં જાપાનના તત્કાલીન PM સાથે આ પ્રોજેક્ટ માટેના કરાર કર્યા હતા. મુંબઈ અમદાવાદના 508.17 KM લાંબા આ પ્રોજેક્ટમાં 155. 76 KMનું અંતર મહારાષ્ટ્રમાં, 348.04 KMનું અંતર ગુજરાતમાં અને 4.3 KMનું અંતર દાદરા અને નગર હવેલીમાં હશે.
સુરતમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાયા
મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં પ્રોજેક્ટની કામગીરી પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે તેમજ વડોદરાથી વાપી સુધીમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાઈ રહ્યા છે મહત્વનું છે કે સપ્ટેમ્બર 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે બાદ આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો પરંતુ જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ અને કોરોના મહામારીને પગલે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં હજુ 5 વર્ષથી વધુનો સમય લાગી શકે છે પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવશે તેવી જાહેરાત રેલવે મંત્રીએ જાહેરાત કરી છે.