બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ક્યારે બનશે 8મું પગાર પંચ? કર્મચારીઓને ક્યારથી મળશે પગાર વધારાનો લાભ? જાણો

બિઝનેસ / ક્યારે બનશે 8મું પગાર પંચ? કર્મચારીઓને ક્યારથી મળશે પગાર વધારાનો લાભ? જાણો

Last Updated: 05:23 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભૂતપૂર્વ કર્મચારીઓના પેન્શન નક્કી કરવા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 16 જાન્યુઆરીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચ સમિતિની રચના માટે પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

દેશના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક મોટા સારા સમાચારમાં, કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 16 જાન્યુઆરીએ યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકારે 8મા પગાર પંચની રચનાને લીલી ઝંડી આપી દીધી છે. 7મા પગાર પંચનો સમયગાળો ડિસેમ્બર 2026 સુધીનો છે કારણ કે તેની ભલામણો વર્ષ 2016 થી લાગુ કરવામાં આવી હતી અને દરેક પગાર પંચનો સમયગાળો 10 વર્ષનો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી મોટી માહિતી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 16 જાન્યુઆરીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચ સમિતિની રચના માટેની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. હવે નવા પગારપંચની જાહેરાત બાદ આઠમા પગારપંચની રચનાની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવામાં આવશે જેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગાર, ભથ્થાં, પેન્શન અને અન્ય લાભોમાં સુધારો કરી શકાય.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

8મા પગાર પંચમાં કોને કોને સમાવવામાં આવશે?

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચના અધ્યક્ષ અને 2 સભ્યોની નિમણૂક કરવા જઈ રહી છે અને તેના દ્વારા રચાયેલી સમિતિ કેન્દ્રીય કર્મચારીઓના પગાર ધોરણમાં ફેરફાર અંગે પોતાના સૂચનો આપશે, ત્યારબાદ પે મેટ્રિક્સ પર નિર્ણય લેવામાં આવશે.

8મા પગાર પંચની ભલામણો ક્યાર સુધી મળશે?

8મા પગાર પંચની સમિતિની રચના થતાં જ આ પેનલ પોતાનું કામ શરૂ કરશે અને સરકારને તેની ભલામણો સુપરત કરવા માટે તેની પાસે લગભગ 11 મહિનાનો સમય હશે.

આ પણ વાંચોઃમહિલાઓને 2500 રૂપિયા, LPG પર 500 રૂપિયા સબસિડી, દિલ્હીવાસીઓ માટે ભાજપના 10 વાયદા

પગાર પંચનું કામ શું છે?

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભૂતપૂર્વ કર્મચારીઓના પેન્શન નક્કી કરવા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે. ફુગાવો, આવક વગેરે સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લીધા પછી પગાર પંચ દ્વારા ભલામણો તૈયાર કરવામાં આવે છે. વેતન આયોગ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) સહિત અન્ય ભથ્થાઓ નક્કી કરવા માટે ફોર્મ્યુલા પણ તૈયાર કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salary 8th Pay Commission Chairman Pensioners
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ