વિરાટ કોહલીએ ભારતની શ્રીલંકા સામે મેચ બાદ પ્રશ્નનો જવાબ આપ્યો. કોહલીએ આશા વ્યક્ત કરી કે રોહિત આ ટૂર્નામેન્ટમાં બીજી બે ઇનિંન્ગ રમે અને ભારત વર્લ્ડકપ જીતે.
વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. ટીમે લીગ સ્ટેજ 9 માંથી 7 મેચ જીતી અને એક વરસાદના કારણે રમવામાં આવી નહતી. ટીમ લીગ સ્ટેજમાં ટૉપ પર રહી. પહેલી સેમીફાઇનલમાં એનો મુકાબલો 9 જુલાઇએ નંબર ચાર પર રહેનારી ન્યૂઝીલેન્ડની ટીમ સાથે થશે.
રોહિત શર્માની આ વર્લ્ડકપમાં રેકોર્ડ પાંચમી સેન્ચ્યુરીની મદદથી ભારતે શ્રીલંકાને પોતાની છેલ્લી લીગમાં હરાવી અને બીજી બાજુ ઓસ્ટ્રિલયાએ પોતાની છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકા સામે હારી ગયું. એની સાથે ભારત ટીમ પ્રથમ ક્રમાંકે પહોંચી ગઇ.
ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્માએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધી પાંચ સેન્ચ્યુરી મારી. તે એક વર્લ્ડકપમાં સૌથી વઘારે સેન્ચ્યુરી મારનાર બેટ્સમેન છે. ભારતીય ટીમે આ દરમિયાન ચાર મેચોમાં જીત મેળવી છે. એ 647 રનોની સાથે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે.
MUST WATCH: @imVkohli & @ImRo45 in conversation - Does it get any better than this? 😎😎 You cannot miss this one - by @RajalArora
આ શાનદાર ફોર્મ માટે કેપ્ટન કોહલીએ રોહિત સાથે વાત કરી. શનિવારે શ્રીલંકાની વિરુદ્ધ મેચ બાદ બંનેની વચ્ચે એક સવાલ જવાબનું સેશન થયું. કોહલી એમાં રોહિતની સાથે મજાક કરતો નજરે પડ્યો.
પોતાના સાથી ખેલાડીઓના વખાણ શરૂ કરીને કોહલીએ રોહિતને પૂછ્યું કે આટલી સરળતાની સાથે મેચ જીતાય એવી ઇનિંન્ગ કેવી રીતે રમી લે છે. એની પર રોહિતે કહ્યું, 'અમે બધા જાણીએ છીએ કે આ એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે તો બેટિંગ યૂનિટ અને ટૉપ ઓર્ડરના બેટ્સમેન હોવાને કારણે મારો પ્રયત્ન બસ મારા ફોર્મને યથાવત રાખવાનું છે.'
ત્યારબાદ રોહિતે કહ્યું કે પહેલી જ મેચમાં સાઉથ આફ્રિકા સામે સેન્ચ્યુરી લગાવ્યા બાદ એના આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થયો.
રોહિતને જ્યારે પૂછવામાં આવ્યું કે વર્લ્ડકપ જેવી ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા એ પોતાને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે. તો એને કહ્યું, 'વર્લ્ડકપ સૌથી મોટી ટૂર્નામેન્ટ છે અને ફોકસ તમારા રુટિનનો ભાગ હોવો જોઇએ, ભલે એ દ્વિપક્ષીય સીરિઝ હોય.'