દરેક વ્યક્તિએ દિવસમાં 20થી40 મિનિટ કસરત કરવી જ જોઇએ પરંતુ કસરત ક્યારે અને કેવી રીતે કરો છે તે પણ ધ્યાન રાખવુ ઘણુ અનિવાર્ય છે
કસરત કરવી હેલ્થ માટે ખૂબ જ સારી
પણ કસરત કરવી ક્યારે ?
ભૂખ્યા પેટે કે જમ્યા પછી ?
એક્સરસાઇઝ શરીરને ફિટ રાખે છે, પરંતુ દરેકના મનમાં એક પ્રશ્ન વારંવાર આવે છે કે શું ખાલી પેટની કસરત કરવી યોગ્ય છે કે નહીં. તેના ફાયદા છે, પરંતુ શું એવું કંઈ છે જે આપણને નુકસાન પહોંચાડી શકે છે. ખાલી પેટે કસરત કરવી ફાયદાકારક છે કે નુકસાનકારક, તમારે વર્કઆઉટ કરતા પહેલા જાણી લેવું જોઈએ. વાસ્તવમાં ખાલી પેટે કસરત કરવી એ બેધારી તલવાર સમાન છે. ખાલી પેટે કસરત કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, બીજી તરફ ખાલી પેટે કસરત કરવાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે અને બ્લડ સુગરનું સ્તર ઘટી શકે છે. ત્યારે આવો આજે જાણીએ ખાલી પેટે કસરત કરવાના શું છે નુકસાન અને ફાયદા.
ખાલી પેટે કસરત કરવાના ફાયદા
વજન ઘટાડવા અને સ્નાયુઓ માટે ફાયદાકારક
જો તમે ખાલી પેટે કસરત કરો છો, તો તે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. વાસ્તવમાં ખાલી પેટે કસરત કરવાથી ઉર્જાનો વ્યય થાય છે. જ્યારે ખાલી પેટે કસરત કરવી સ્નાયુઓ માટે પણ ફાયદાકારક છે. ખાલી પેટ પર વર્કઆઉટ કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે અને તમને શક્તિ મળે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
તમને જણાવી દઈએ કે ખાલી પેટે કસરત કરવાથી શરીર ફિટ રહે છે. જે લોકો વ્યાયામ કરે છે તે અન્ય લોકો કરતા ઓછા બીમાર હોય છે. આ સિવાય ખાલી પેટે કસરત કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કસરત કરવાથી શરીરના તમામ અંગો યોગ્ય રીતે કામ કરે છે.
ખાલી પેટ પર કસરત કરવાના ગેરફાયદા
ખાલી પેટ કસરત કરવાથી શરીર ડીહાઇડ્રેટ થાય છે. આ સિવાય ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે. ખાલી પેટે વર્કઆઉટ કરવાથી તમે નર્વસ અનુભવી શકો છો. આ સાથે સ્નાયુમાં ઇજા થવાનું જોખમ પણ છે. એટલા માટે સલાહ આપવામાં આવે છે કે કસરત કરતા પહેલા હૂંફાળા પાણીમાં લીંબુ ભેળવીને પીવો. આ સિવાય તમે મિલ્ક શેક અથવા બદામ શેક પણ પી શકો છો. વર્કઆઉટ પહેલા ડિટોક્સ ડ્રિંક પીવું પણ સારું રહેશે.