'તારક મહેતા'ની ટીમ એપિસોડ શૂટ કરવા માટે સિંગાપોરમાં હતી ત્યારે આસિત મોદીએ મને કહ્યું કે, 'એકલી રૂમમાં શું કરે છે, તારી રૂમ પાર્ટનર એ જતી રહી છે તો પછી ચલ મારી સાથે વ્હિસ્કી પીએ.'
'તારક મહેતા શોમાં કામ કરતી વખતે જેનિફરને હેરાન કરવામાં આવી
જ્યારે અસિતે જેનિફરને કિસ કરવાનું કહ્યું
તું એકલી રૂમમાં શું કરે છે,ચાલો વ્હીસ્કી પી લઈએ
પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'મિસિસ રોશન સિંહ સોઢી'ના પાત્ર માટે લોકપ્રિય અભિનેત્રી જેનિફર મિસ્ત્રી શોના નિર્માતા અસિત મોદી પર અનેક આરોપો લગાવ્યા બાદ ચર્ચામાં છે . ગયા મહિન અભિનેત્રી જાતીય સતામણી, માનસિક ઉત્પીડન અને અન્ય આરોપો સાથે આગળ આવી હતી. અભિનેત્રીના કહેવા પ્રમાણે પંદર વર્ષથી શોમાં કામ કરતી વખતે અભિનેત્રીને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે.
જ્યારે અસિતે જેનિફરને કિસ કરવાનું કહ્યું
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ કેટલાક એપિસોડ શૂટ કરવા માટે સિંગાપોરમાં હતી. જેનિફરે ત્યાં શું સહન કર્યું એ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, “7 માર્ચે મારી વર્ષગાંઠ હતી. 8મી માર્ચે તેણે કહ્યું કે આજે તમારી વર્ષગાંઠ પૂરી થઈ ગઈ છે, આજે કોઈ ગિલ્ટ નથી તો આવી જાઓ મારા રૂમમાં, ચાલો વ્હિસ્કી પીએ. બીજા દિવસે તેણે કહ્યું કે તું એકલી રૂમમાં શું કરે છે, તારી રૂમ પાર્ટનર એ જતી રહી છે તો પછી ચાલો વ્હીસ્કી પી લઈએ. ત્રીજે દિવસે તેણે અચાનક આવતા કહ્યું કે તારા હોઠ ઘણા સુંદર છે, મને પકડીને કિસ કરવાનું મન થાય છે.
અભિનેત્રીને તેના વકીલે છેલ્લા 15 વર્ષમાં જે પણ સામનો કર્યો છે તે બધું લખવા કહ્યું હતું. જ્યારે વકીલે તે વાંચ્યું, ત્યારે તેણે જેનિફરને કહ્યું, "આ સ્પષ્ટ જાતીય સતામણી છે." જો કે, જેનિફરને ખબર ન હતી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી અને તેણે કહ્યું કે કોઈની વિરુદ્ધ આ શબ્દનો ઉપયોગ કરવો ભારે છે.
જેનિફરના શો છોડવાના નિર્ણય પર સોહેલ રમાનીની પ્રતિક્રિયા
સિંગાપોરથી પરત ફરતી વખતે, જેનિફરે ઓપરેશન હેડ સોહેલ રામાણીને કહ્યું કે તે શો છોડવા માંગે છે પણ તેણે તેને કહ્યું કે તે આ રીતે જઈ શકશે નહીં અને જો તેને 4 મહિના માટે પેમેન્ટ બંધ કરી દીધું તો... સોહેલ દ્વારા લાદવામાં આવેલા અલગ-અલગ નિયમો વિશે વાત કરતા જેનિફરે કહ્યું હતું કે તેને ભૂતકાળમાં પણ માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. અડધો દિવસનો પગાર અનેક પ્રસંગોએ કાપવામાં આવ્યો છે. અગાઉથી રજા માંગ્યા પછી પણ છેલ્લી ઘડીએ નામંજૂર કરી દેતા હતા. જેના કારણે તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી હતી.
જેનિફર મિસ્ત્રી પોતાના ભાઈના મૃત્યુને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી
જેનિફરનો ભાઈ વેન્ટિલેટર પર હતો તે સમયને યાદ કરતાં અભિનેત્રીએ શેર કર્યું કે કેવી રીતે બધું તેના સ્વાસ્થ્ય પર અસર કરે છે. તેણીએ ઓપરેશન હેડ સોહેલ રામાણીને કહ્યું કે તેણીને નાગપુર જવા માટે બે દિવસની જરૂર છે, પરંતુ તેણે જવાબ આપ્યો, "મેરા શૂટ છોડકર નહીં જા શકતી, છોડ કે ગઈ તો દેખના. શૂટ ખતમ હો જાયે ઉસકે બાદ જાના."
પછી એક દિવસ મેં સોહેલને કહ્યું કે મારે હવે અહીં કામ કરવું નથી, મને પગાર આપો. સોહેલે કહ્યું કે જ્યાં સુધી રિપ્લેસમેન્ટ નહીં આવે ત્યાં સુધી તમારે કામ કરવું પડશે. પૈસા પણ પરત ન કર્યા પછી મેં ફરિયાદ કરી.