કોરોનાની બીજી લહેરે હવે માત્ર શહેરો પૂરુતુ સિમીત નથી પરંતુ ગમડામા પણ પહોંચી ગયો છે. ત્યારે એક ઘટના એવી બની છે જે જોઇને કંપારી છૂટી જશે.
કોરોનાએ વરસાવ્યો ભારતમાં કહેર
પરિવારના બંને જવાન દિકરાના મોત
યુપીનો આ પરિવાર ભયંકર આઘાતમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને તમામ એક્સપર્ટ્સને ખબર હતી કે સ્થિતિ આ રીતે વણસી જશે પરંતુ હવે જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઇ છે તેમાં નોઇડા વેસ્ટના જલાલપુર ગામમાં પિતાએ પોતાના બંને બાળકોને કોરોનાના કારણે ગુમાવી દીધા છે.
દિકરાના અંતિમસંસ્કાર કર્યા ત્યાં બીજા દિકરાનું મોત
નોઇડા વેસ્ટના જલાલપુર ગામમાં એક દિકરાના અંતિમસંસ્કાર કરીને આવ્યા ત્યારે સપનામાં પણ ન વિચાર્યુ હોય તેવી ઘટના બની હતી. અતર સિંહના દિકરા પંકજનુ અચાનક નિધન થઇ ગયુ હતુ અને દિકરાના અંતિમ સંસ્કાર કરીને ઘરે પહોંચ્યા ત્યારે બીજા દિકરા દિપકે દમ તોડી દીધો હતો. તે પણ કોરોનાથી જંગ લડી રહ્યો હતો. જવાન બંને દિકરાના મોતથી પરિવાર ભાંગી ગયો હતો અને માતા તો તૂટી ગઇ હતી અને સતત બેભાન થઇ રહી હતી.
ગામમાં કોરોનાનુ તાંડવ
જલાલપુર ગામમાં ગ્રામીણોએ જણાવ્યું કે 10 દિવસમાં ગામમાં 6 મહિલાઓ સહિત 18 લોકોનું મોત થયુ હતુ. જાણકારી અનુસાર 28 એપ્રિલના રોજ ગામમાં મોતનો સિલસિલો શરૂ થયો હતો જે હજુ સુધી થંભ્યો નથી. મોટાભાગના ઘરોમાં મોતનો માતમ મનાવવામાં આવી રહ્યો છે અને સામાન્ય રીતે બધાને તાવ આવે અને અચાનક ઓક્સિજન લેવલ ઘટી જાય છે. આટલી બધી મોતના કારણે ગામના લોકો દહેશતમાં છે.
શહેરમાં સંક્રમણ ઓછુ, ગામમાં ખરાબ પરિસ્થિતિ
હવે પરિસ્થિતિ એવી થઇ છે કે ગામમાં સ્થિતિ વધુ ગંભીર થતી ગઇ છે. શહેરોમાં તો માત્ર હોસ્પિટલમાં બેડ મળવો મુશ્કેલ થઇ ગયો છે બાકી ગામમાં તો દવાખાનુ મળવુ જ મુશ્કેલ થઇ ગયુ છે. લોકો તડપીને જીવ ગુમાવી રહ્યા છે. સ્વાસ્થ્ય વ્યવસ્થાના નામ પર કંઇ જ નથી અને આવા સમયમાં યુપીના ગામમોમાં કોરોનાના કારણે પરિસ્થિતિ વણસી છે.