પંજાબી લોકો તેમના કદ કાઠી અને ચહેરાના રંગ પરથી જ ઓળખાઇ જાય છે. દરેક પંજાબી વ્યક્તિ ગોરી ચીકટી અને તેમને જોઇને આનંદ આવે તેવી હોય છે. પંજાબી યુવતીઓ સુંદરતામા ભલભલાને ટક્કર આપે છે. એવું શું હોય છે કે આ લોકો આટલા સુંદર હોય છે. એક મુખ્ય બાબત છે તેમની ખાવાપીવાની આદતો. પંજાબીઓ પરાઠા વધુ ખાતા હોય છે અને તેમના ફેવરિટ પરાઠા મુળાના પરાઠા હોય છે. મુળા ઘણા યંગસ્ટર્સને ભાવતા હોતા નથી. કેટલાક લોકોને મુળા ખાવા એટલે પસંદ નથી કેમકે તે ખાધા બાદ ખરાબ ઓડકાર આવે છે.
પંજાબી લોકો તેમના કદ કાઠી અને ચહેરાના રંગ પરથી જ ઓળખાઇ જાય છે
પંજાબીઓ પરાઠા વધુ ખાતા હોય છે અને તેમના ફેવરિટ પરાઠા મુળાના પરાઠા હોય છે
કેટલાક લોકોને મુળા ખાવા એટલે પસંદ નથી કેમકે તે ખાધા બાદ ખરાબ ઓડકાર આવે છે
મુળા એક એવુ કંદ છે જે શરીરને ઝેરી તત્વોથી મુક્ત કરવા માટે કામ કરે છે
સાચી વાત તો એ છે કે મુળા એક એવુ કંદ છે જે શરીરને ઝેરી તત્વોથી મુક્ત કરવા માટે કામ કરે છે અને ઓવરઓલ ઇમ્યુનિટિ વધારે છે. શિયાળામાં દરેક વ્યક્તિએ ભોજનમાં તેનો સમાવેશ કરવો જોઇએ. હવે આ સીઝન પુરી થવા જઇ રહી છે તો જેમ બને એમ મુળા ખાઇ લેવા જોઇએ. જો તેને ખાવામાં થોડુ ધ્યાન રાખવામાં આવે તો તે ખાવાથી કોઇ તકલીફ થતી નથી. મુળાનું કંદ જમીનમાં ઉગે છે અને તેના પાંદડા બહાર થાય છે તેથી તેના બંને ભાગો અદભુત કહી શકાય તેવા ઘટકોથી ભરપુર હોય છે. તે બોડીમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદરુપ થાય છે. તેમાં સલ્ફર સારી એવી માત્રામાં હોય છે. મુળામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને મિનરલ્સને કારણે શરીરમાં ભરાઇ રહેલા નકામા દ્વવ્યો કિડની સુધી પહોંચે છે તેને યુરિન વાટે બહાર ફેંકી દે છે.
મુળાના કંદ અને ભાજી બંનેનો એક સરખો ઉપયોગ કરવો જોઇએ
મિનરલ્સની સાથે તેમાં ફાઇબરનું સંતુલન હોવાથી પેટ પણ સાફ રહે છે. શિયાળામાં પાણીનો ઇનટેક ઓછો હોઇ તેની જરુર પણ પુરી કરે છે. જેમ બારેમાસ દુધીનો જ્યુસ લેવાથી ડિટોક્સીફિકેશન થાય છે તેમ શિયાળામાં મુળાના ઉપયોગથી બોડીમાં ભરાઇ રહેલા ઝેરી અને નકામા દ્વવ્યો ઉત્સર્જિત થઇ શકે છે. મુળાના કંદ અને ભાજી બંનેનો એક સરખો ઉપયોગ કરવો જોઇએ. સ્વાદમા કદાચ આ ભાજી ખાવી ન ગમે, પરંતુ તેને ઘીમા કાચુપાકુ શેકીને અથવા પરાઠામા સ્ટફિંગ કરીને વાપરી શકાય. મુળામાં રહેલુ સલ્ફર અને તેની ભાજીમા રહેલા વિટામીન્સ વાળ અને ત્વચા માટે બેસ્ટ છે. તેમાં ફોલિક એસિડ, વિટામીન બી કોમ્પ્લેક્સ અને કોપર જેવા ઘટકો સારી એવી માત્રામાં હોય છે. શિયાળાની સીઝનમાં તેનું નિયમિત સેવન ત્વચાને ચમકીલી, ગોરી અને ડાઘ ધબ્બા વગરની બનાવે છે. વાળ પણ મજબુત અને સુંવાળા બને છે.