ઇજીપ્તના દક્ષિણી શહેર અસવાનમાં વિંછીઓનો આતંક છવાયેલો છે. તેનું કારણ તોફાન અને ભયાનક વરસાદ છે.
ઇજીપ્તમાં થયો વિંછીઓનો વરસાદ
વિંછીના ડંખથી 500 લોકો થયા બીમાર
3 લોકોનું વિંછી કરડવાથી મોત
વિંછીઓએ 500થી વધારે લોકોને ડંખ માર્યો છે. 3 લોકોના મૃત્યુ થયા છે અને બીજા લોકો ઘાયલ થયા છે. તોફાન અને ભારે વરસાદના કારણે વિંછી જમીન નીચેથી નીકળીને બહાર આવી ગયા હતા.
3 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી ત્યારે અસવાનના ગવર્નર મેજર જનરલ અશરફ અતિયાએ કહ્યું કે આ ન્યૂઝ ખોટા છે પરંતુ તેમણે 500 લોકોના બીમાર હોવાની પુષ્ટી કરી છે.
શુક્રવાર એટલે કે 12 નવેમ્બર 2021ને અસવાન અને તેના આસપાસના વિસ્તારમાં ભયાનક વરસાદ આવ્યો હતો. આ વિસ્તાર સૂકાયેલો પ્રદેશ છે. અસવાન શહેર અને તેના આસપાસના વિસ્તાર ભારે તબાહી મચી છે. ટીવી, ઇન્ટરનેટ અને વીજળી સપ્લાય પણ બંધ છે.
דרום מצרים, אסוואן, מכת עקרבים בעקבות גשמים עזים שהבריחו אותם לבתים. התוצאה - שלושה מתים ו-450 נפגעים מעקיצות עקרבים pic.twitter.com/XtqoP6uYxQ
ગવર્નર અશરફ અતિયાએ કહ્યું કે 80થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ છે. બાકીના લોકોને ઇલાજ બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 3000થી વધારે એન્ટીવેટમ દવાઓ હોસ્પિટલમાં મોકલાવવામાં આવી છે. હજુ સુધી સાપ કરડવાનો કોઇ મામલો સામે આવ્યો નથી.
અશરફે કહ્યું કે સામાન્ય રીતે વરસાદમાં વિંછી કરડવાના મામલા સામે આવતા રહે છે પરંતુ આ વખતે કેસ વધારે જ વધી ગયા છે. તે ગ્રામીણ વિસ્તારોમાંથી કેસ સામે આવે છે જે લાલ સાગર પર્વતમાળાની આસપાસ મોજુદ છે. કારણકે જમીનની નીચે પાણી ભરાઇ જાય છે માટે બચવા વિંછીઓ બહાર આવી જાય છે.