આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પીએફ એકાઉન્ટ ક્યારે બંધ થઈ જાય છે અને બંધ એકાઉન્ટમાં જમા રકમનું શું કરવામાં આવે છે.
PF ઈનએક્ટિવ હોવા પર શું થાય છે?
બંધ એકાઉન્ટમાં જમા રૂપિયાનું શું થાય છે?
જાણો એકાઉન્ટ ફરી કઈ રીતે એક્ટિવ કરાવી શકાય?
જો તમે ક્યાંય નોકરી કરો છો તો તમારૂ પીએફ એકાઉન્ટ હશે અને દર મહિને તમારૂ પીએફ જમા થતુ હશે. પરંતુ ઘણી વખત આ એકાઉન્ટ ઘણા કારણોથી બંધ પણ થઈ શકે છે. જ્યાર બાદ ખાતાધારકને મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે પીએફ એકાઉન્ટ ક્યારે બંધ થઈ જાય છે અને બંધ એકાઉન્ટમાં જમા રકમનું શું થાય છે.
કંપની બદલવા પર થાય છે એકાઉન્ટ ટ્રાન્સફર
તમને જણાવી દઈએ કે નોકરી બદલ્યા બાદ વ્યક્તિને તમારૂ પીએફ ખાતુ જુની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરવાનું હોય છે. જો કર્મચારી આમ નહીં કરે અને જુની કંપની બંધ થઈ ગઈ છે તો પીએફ ખાતુ બંધ થઈ શકે છે. પરંતુ આવુ ત્યારે જ થાય છે જ્યારે 36 મહિના સુધી EPFO ACCOUNTથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન થઈ હોય. આવી સ્થિતિમાં 'ઈનઓપરેટિવ' કેટેગરીમાં નાખી દેવામાં આવે છે.
આ કારણોથી પણ બંધ થઈ જાય છે એકાઉન્ટ
આ ઉપરાંત પણ પીએફ એકાઉન્ટ બંધ થવાના અમુક બીજા કારણ હોય છે. જે આ છે...
એકાઉન્ટ હોલ્ડર જ્યારે વિદેશમાં જઈને વશિ જાય છે તો ત્યારે પીએફ એકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જાય છે.
જ્યારે પીએફ ધારકનું મૃત્યુ થઈ જાય છે તો આવી સ્થિતિમાં પણ એકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જાય છે.
આ ઉપરાંત જ્યારે કર્મચારી પોતાનું બધુ રિટાયરમેન્ટ ફંડ કાઢી લે છે ત્યારે પણ એકાઉન્ટ ઈનઓપરેટિવ થઈ જાય છે.
ઈનએક્ટિવ એકાઉન્ટમાં જમા પૈસાનું થાય છે આ
ઈનએક્ટિવ થયા બાદ પણ એકાઉન્ટમાં જમા પૈસા પર તમને વ્યાદ મળતુ રહે છે. આ પૈસાને ઉપાડી પણ શકાય છે.
પહેલા આ એકાઉન્ટ પર વ્યાજ ન હતુ મળતું. પરંતુ વર્ષ 2016માં નિયમોમાં સંશોધન કરવામાં આવ્યું અને વ્યાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું.
પીએફ એકાઉન્ટ પર ત્યાં સુધી વ્યાજ મળતુ રહે છે. જ્યાં સુધી તમે 58 વર્ષના ન થઈ જાઓ.
એકાઉન્ટ જો સાત વર્ષ સુધી નિષ્ક્રિય રહે છે તો જેટલુ બેલેન્સ ક્લેમ ન કર્યું હોય તેટલુ બેલેન્સ સીનિયર સિટીઝન વેલફેર ફંડમાં ટ્રાન્સફર થઈ જાય છે.
એસસીડબ્લ્યુએફમાં આ રકમ 25 વર્ષ સુધી રહે છે. આ સમય દરમિયા રકમ ક્લેમ કરી શકાય છે. આ ફંડ પર સરકાર વ્યાજ પણ આપે છે.
કઈ રીતે ચાલુ કરી શકાય બંધ એકાઉન્ટ?
PF એકાઉન્ટને ફરી એક્ટિવ કરવા માટે તમારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં જઈને એપ્લીકેશન આપવાની રહેશે. ખાસ વાત એ છે કે નિષ્ક્રિય થયા બાદ પણ એકાઉન્ટમાં પડેલા પૈસા પર વ્યાજ મળતુ રહે છે. એટલે કે તમારા પૈસા ડૂબતા નથી. તે તમને પરત મળી જાય છે.