થોડા દિવસ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત કચ્છના ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં 68 દીકરીઓ સાથે થયેલાં ગેરવર્તણૂંકથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. માસિક ધર્મમાં હોવા અંગે તપાસ કરવા સંચાલકોએ વોશરૂમ( બાથરૂમ)માં લઈ જઈ દીકરીઓના કપડાં ઉતરાવી ચેક કરાયી. જે સહજાનંદ સ્વામીએ 18મી સદીમાં સ્ત્રીઓના ઉદ્ધાર માટે સતિ પ્રથા અને વિધવાના પુન: લગ્ન જેવા કુરિવાજો દૂર કરવા અંગ્રેજ શાસમને સુચવ્યું હોય તેના અનુયાયીઓ આટલાં ક્રુર કેમ હોય શકે?
માસિક ધર્મ વખતે દીકરીઓને અલગથી જમવા આપવાનું અને બેઝમેન્ટમાં સુવાનું
સહજાનંદ સ્વામીએ અંધશ્રદ્ધાઓ દૂર કરી અને એમના અનુયાયીઓ મહિલાઓ પ્રત્યે આટલાં રૂઢિચુસ્ત?
મહિલાઓનું સન્માન ભૂલેલો આ ધર્મ જગતને કેટલું આધ્યાત્મિક જ્ઞાન આપશે?
મહિલાઓના અધિકારોનું પણ હનન
ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં જે ઘટના બની એ અંગે મહિલા આયોગ તપાસ કરી રહી છે અને સ્થાનિક પોલીસે સંચાલકો વિરૂદ્ધ FIR દાખલ કરી તપાસ આદરી છે. પરંતુ મીડિયાને મળતી પ્રાથમિક માહિતી મુજબ સહજાનંદ ગર્લ્સ કોલેજની હોસ્ટેલમાં દીકરીઓના માસિક ધર્મ અંગે એવી ગેરમાન્યતાઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયની રૂઢિચુસ્તતાઓ છે કે એ મહિલાઓના મુળભુત અધિકારોનું જ હનન કરે છે.
માસિક ધર્મ વખતે દીકરીઓ સાથે થતી ગેરવર્તુણકો
સહજાનંદ કોલેજના સ્ટાફના સુત્રો અને દીકરીઓએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં મુજબ હોસ્ટેલમાં એવો નિયમ છે કે જે દીકરીને માસિક ધર્મ આવવાના હોય તેઓ ઓફિસના રજીસ્ટરમાં નોંધાવવું ફરજિયાત. માસિક ધર્મના દિવસોમાં દીકરીઓને બધાની સાથે રહેવાની મનાઈ તેમને નીચેના એક બેઝમેન્ટમાં અલગથી રહેવાનું જ્યાં તેને બંધ પણ કરી દેવામાં આવતી. દીકરીઓએ આ સમયે બધા સાથે સમુહ ભોજનમાં નહીં જવાનું અલગથી જમવા બેસવાનું. આ સમય દરમિયાન મંદિરે જવાની અને આરતીમાં બેસવાની સખ્ત મનાઈ.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ સંતો સ્ત્રીઓ સામે જોતા નથી અને દૂર રખાયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં સ્ત્રીઓને અમુક નિશ્ચિત જગ્યાથી આગળ જવા દેવામાં નથી આવતી. મંદિરના ગર્ભગૃહમાં જવું મહિલાઓ માટે પાબંધી છે. જે સહજાનંદ સ્વામીને મહાકવિ દલપરામ અને કિશોર મશરૂવાલાએ સ્ત્રીઓના ઉદ્ધારક કહીને સંબોધ્યા હોય તેમના અનુયાયીઓ આટલાં સ્ત્રી પ્રત્યે રૂઢિચુસ્ત કેમ. સહજાનંદ સ્વામીએ જેને હાથો હાથ દિક્ષા આપી હતી તેવા અને સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ સંત બ્રહ્માનંદ સ્વામી પણ લાડુબા અને જીવુબા જેવી બે મહિલાઓની પ્રેરણાથી જ સંત બન્યા હતા.