વિપક્ષ સોનિયા ગાંધીની પૂછપરછને લઈને સંસદથી લઈને રોડ સુધી મોદી સરકાર પર પ્રહારો, સરકાર પર બદલાની રાજનીતિનો આરોપ
વિપક્ષના ભારે હંગામા વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત
સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- 'કાયદા સમક્ષ બધા સમાન
શું કોંગ્રેસ અધ્યક્ષ કોઈ મહાન વ્યક્તિ છે ? કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા છે. આ તરફ વિપક્ષ સોનિયા ગાંધીની પૂછપરછને લઈને સંસદથી લઈને રોડ સુધી મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. તેઓ સરકાર પર બદલાની રાજનીતિનો આરોપ લગાવી રહ્યા છે. આ સાથે જ ભાજપે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- 'કાયદા સમક્ષ બધા સમાન છે, શું કોંગ્રેસ અધ્યક્ષ કોઈ મહાન વ્યક્તિ છે?
વિપક્ષના ભારે હંગામા વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત
સોનિયા ગાંધીની પૂછપરછને લઈ ભારે હંગામા વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી EDની ઓફિસ પહોંચ્યા છે. જ્યાં આજે નેશનલ હેરાલ્ડ કેસમાં EDના અધિકારીઓ તેમની પૂછપરછ કરશે. જોકે તેના વિરોધમાં કોંગ્રેસે મોટા પાયે પ્રદર્શન કરવાની તૈયારી કરી લીધી છે.
मीडिया को कांग्रेस कार्यालय में आने से रोका जा रहा है।
किसी भी अन्याय के खिलाफ अहिंसात्मक गांधीवादी ‘सत्याग्रह’ हर भारतीय का संवैधानिक अधिकार है। लेकिन सत्ता के अंहकार में मोदी सरकार यह हक़ भी हमसे छिनने की कोशिश कर रही है। यह कांग्रेस पर नहीं भारत के महान लोकतंत्र पर हमला है।
કોંગ્રેસનો આરોપ છે કે, પોલીસે પાર્ટીના દિલ્હી હેડક્વાર્ટરમાં બેરિકેડ લગાવી દીધા છે અને મીડિયાને આવવાથી રોકવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, મીડિયાને કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. કોઈપણ અન્યાય સામે અહિંસક ગાંધીવાદી સત્યાગ્રહ એ દરેક ભારતીયનો બંધારણીય અધિકાર છે. પરંતુ સત્તાના ઘમંડમાં મોદી સરકાર આ અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. આ કોંગ્રેસ પર નહીં પરંતુ ભારતની મહાન લોકશાહી પર હુમલો છે.
Congress office HQ in Akbar Road but now closed by shah police…. They know the strength of Congress workers and their commitment. 💪🏻🇮🇳 pic.twitter.com/ftUmLxFP5M
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 20, 2022
શુ કહ્યું કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે ?
કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે એક વીડિયો શેર કર્યો અને લખ્યું, 'અકબર રોડ પરના કોંગ્રેસ હેડક્વાર્ટર પર પોલીસ દ્વારા નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેઓ કોંગ્રેસના કાર્યકરોની તાકાત અને તેમની પ્રતિબદ્ધતાઓ જાણે છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, કાયદા સમક્ષ બધા સમાન
સોનિયા ગાંધીના પ્રશ્નને લઈને વિપક્ષના સાંસદોએ આજે લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમ્યાન કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, 'કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. શું કોંગ્રેસ અધ્યક્ષ (સોનિયા ગાંધી) કોઈ મહાન વ્યક્તિ છે? તેઓ (કોંગ્રેસીઓ) માને છે કે તેઓ કાયદાથી ઉપર છે. ભારે હોબાળા બાદ લોકસભાની બેઠક થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી.