ગણેશને ઘણી વખત લાલ રંગમાં દર્શાવવામાં આવે છે. તેમને મંગલમુર્તિ કહેવાય છે. આનો અર્થ મંગળનો ગ્રહ પણ થાય છે. આ કારણને લીધે જ મંગળવાર ગણેશની પૂજાવિધી માટે પવિત્ર માનવામાં આવ્યો છે.
ગણેશના એક હાથમાં કુહાડી અને બીજા હાથમાં પાશ છે. કુહાડી વિશ્લેષણનું પ્રતિક છે. પાશ વસ્તુને તોડીને ભેગી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બંને ભેગા મળીને માનવ મનની બે પ્રકારની આવડતનું પ્રતિક બને છે. ભૌતિક દુનિયાને સમજવી અને એમ કરતાં આધ્યાત્મક દુનિયાને અનુભવવી. ઘણીવાર ગણેશના હાથમાં અંકુશ જોવામાં આવે છે. તે પ્રોત્સાહન અને કાબુ બંનેનું પ્રતિક છે. તે સમતોલનમાં જ આનંદ દર્શાવે છે.
ઘણીવાર ગણેશના હાથમાં શેરડી જાવા મળે છે. શેરડી કામ, પ્રેમ અને વાસનાના ભગવાન સાથે જાડાયેલી છે. શેરડીનો રસ જીવનરસની નિશાની છે. ગણેશને એક દાંત છે. સ્કંદ પુરાણમાં કહ્યુ છે કે તેમણે જાતે દાંત તોડ્યો. ભવિષ્ય પુરાણમાં કહ્યુ છે કે તેમના ભાઈ કાર્તિકેયે તોડ્યો. બ્રહ્માંડ પુરાણમાં લખ્યુ છે કે દાંત પરશુરામ સાથે દ્વંદ્ર યુદ્ધમાં તુટી ગયો. જ્યારે પદ્મપુરાણમાં કહ્યુ છે કે દાંત બલરામ સાથે દ્વંદ્વમાં ખંડિત થયો છે. તુટેલા દાંતનો ઉપયોગ શાહી ભરવાના ખડિયા તરીકે થયો જેમાં કલમ ઝબોળીને ગણેશ વ્યાસનું મહાભારત લખી શક્યા. તુટેલા દાંતનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને ગણેશે ચંદ્ર ઉપર વિજ્ય મેળવ્યો. આ દાંતને ટેકણલાકડી તરીકે ઉપયોગ કરીને ગણેશ ધ્યાનમાં બેસે છે.
પાંચમી સદી સુધીની ગણેશની મુર્તિઓ ઉંદર ઉપર સવાર થયેલી દર્શાવાઈ નથી. પહેલાની મુર્તિઓમાં તેમને સિંહ ઉપર સવાર દર્શાવાયા છે. ઉંદરની સવારી ૧૦મી સદીથી દર્શાવાય છે. ઉંદર ઉપદ્રવી અને જીવનમાં ઉકેલી શકાય નહી તેવા પ્રશ્નોનું પ્રતિક છે. ઉંદર ફળદ્રુપતાની પણ નિશાની છે. ગણેશનું પૂજન આપણા જીવનમાંથી પ્રશ્નોના ઉપદ્રવને કાઢી નાખે છે અને ફળદ્રુપ બનાવે છે એમ ગણેશની ઉંદર સવારી સુચવે છે. ગણેશને મોદક મિઠાઈ બહુ ભાવે છે. મોદક ચોખાના લોટમાં ગોળ, કોપરુ અને તલના મિશ્રણથી બનેલી મીઠાઈ છે. મોદકનો આકાર પૈસા ભરેલી થેલી જેવો હોય છે. જે કુબેરના હાથમાં હોય છે અને તે માણસને મળતા બધા મનગમતા આનંદનું પ્રતિક છે.