દેશમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી જ ધાર્મિક સીરિયલ્સ ધૂમ મચાવી રહ્યાં છે. રામાનંદ સાગરની રામાયણે વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધો છે અને આ શોને એક જ દિવસમાં કરોડો લોકોએ જોયો. રામાયણ બાદ મહાભારત પણ દર્શકોનો ફેવરિટ શો છે. આ શોમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા મુકેશ ખન્ના અને દુર્યોધનની ભૂમિકા કરી ચૂકેલા પુનીત ઈસ્સરે થોડાં સમય પહેલાં જ ટેલિવિઝન જગતની ક્વીર એકતા કપૂર સાથે જોડાયેલા મુદ્દા પર પોતાના અભિપ્રાય આપ્યા હતા.
રામાયણ બાદ મહાભારત સૌથી વધુ લોકપ્રિય સીરિયલ બની
મહાભારતના ભીષ્મ પિતામહે એકતા કપૂરને લઈને કરી હતી ટિપ્પણી
મુકેશ ખન્નાએ થોડાં સમય પહેલાં જ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ એકતા કપૂર પર એ વાતને લઈને ભડકી ગયા હતા કે, એકતાએ મહાભારતને ગ્લેમરસ અંદાજમાં રજૂ કરવાની કોશિશ કરી હતી. તેણે મહાભારતની સ્ટોરી લાઈન બદલવા અને અમુક વસ્તુઓને હદથી વધારે મોર્ડન બનાવવા માટે એકતા કપૂરની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, સિક્સ પેકવાળા એક્ટર્સ ક્યારેય મહાભારતના પાત્રો સાથે ન્યાય નહીં કરી શકે.
જ્યારે ટેલિવિઝન અને બોલિવૂડ અભિનેતા પુનીત ઈસ્સરે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. હું તેમની વિરૂદ્ધ કંઈ કહેવા નથી માંગતો. પરંતુ વિચારો કે તેમણે એકતા કપૂરની વિરૂદ્ધ ટિપ્પણી કરીને એક મોટો વિવાદ ઊભો કરી દીધો છે. મહાભારત ઉપર કોઈનો પણ કોપીરાઈટ નથી. કોઈપણ આ સીરિયલ બનાવી શકે છે.
એટલું જ નહીં ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાના દાદાએ પણ મહાભારત ઉપર એક ફિલ્મ બનાવી હતી અને તે સુપરહિટ રહી હતી. તેમાં હીરોની ભૂમિરા દારા સિંહે ભજવી હતી. એ કહાની ભીષ્મ પિતામહની દ્રષ્ટિથી બતાવવામાં આવી હતી. પુનીતે એકતા કપૂરનો બચાવ કરવા સહિત સોનાક્ષી સિન્હાની રામાયણ મુદ્દે ટ્રોલિંગ પર પણ બચાવ કર્યો હતો.