યશ અને શ્રીનિધી શેટ્ટીની KGFના બે ભાગ તો તમે જોઈ ચૂક્યા છો. હવે ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યાં છો. અવાર-નવાર અટકળો ફેલાય છે. હવે યશે જાતે તેના પર મૌન તોડ્યુ છે.
ક્યારે આવી રહી છે KGF ચેપ્ટર 3?
યશે ચાલી રહેલી અટકળો પર તોડ્યુ મૌન
આવી કોઈ વાત પર ભરોસો કરવાની જરૂર નથી
યશે KGFના 3 ભાગની ચાલતી અટકળો પર તોડ્યુ મૌન
કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બ્લૉકબસ્ટર ફિલ્મ KGF ચેપ્ટર 1 અને 2 બધાએ જોઇ હશે. જેમાં યશ અને શ્રીનિધિ શેટ્ટી મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. પ્રશંસકો આશા સેવી રહ્યાં છે કે આ ફિલ્મનો ત્રીજો ભાગ ક્યારે થિયેટરોમાં જોશે. યશે પ્રશંસકોની આશા પર પાણી ફેરવી દીધુ છે. એક કોન્કલેવમાં યશે આ ફિલ્મ સાથેની ઘણી વાતો શેર કરી છે. કોન્કલેવમાં યશે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સ અંગે વાતચીત કરી. તેમણે કહ્યું કે તેમના કામને લઇને અનેક પ્રકારની અફવાઓ ઉડી રહી છે. તેમની આગામી ફિલ્મો અંગે ઘણા સમાચાર આવી રહ્યાં છે, પરંતુ જ્યારે આવુ કઈ હશે ત્યારે આ અંગે ચાહકોને જણાવશે. આવી કોઈ વાતો પર ભરોસો કરવાની જરૂર નથી.
અત્યારે કોઈ સમય નથી, જો કે, અમે લાવવા માટે વિચાર્યુ છે
યશે આ દરમ્યાન પોતાના ફિલ્મના ડાયલોગ બોલીને બધાને એન્ટરટેઇન કર્યા. પછી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કેજીએફ ચેપ્ટર 3 આવી રહી છે તો તેના જવાબમાં તેઓએ કહ્યું, અત્યારે કોઈ સમય નથી. જો કે, અમે તેને લાવવા માટે વિચાર્યુ છે. તેના માટે અમારી પાસે પ્લાન પણ છે. પરંતુ છેલ્લાં 6-7 વર્ષથી હું આ કરી રહ્યો છુ, તેથી હવે કઈક અલગ કરવા માગુ છુ. કેજીએફ ચેપ્ટર 3 માટે અમે થોડો સમય લઇશુ અને પછી જુઓ કે શું થાય છે. ત્યારબાદ તેના પર કામ કરીશુ.