કુંવારિકા તથા પરિણીત સ્ત્રીઓ આ વ્રત કરવાથી મનગમતો વર તથા પતિનુ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ત્યારે આ વખતે તીજના દિવસે શું છે વિશેષ આવો જાણીએ
31 જુલાઇએ છે હરિયાળી તીજ
શ્રાવણ માસમાં તીજના દિવસે કરવુ વ્રત
આ વખતે ખાસ યોગનું સર્જન
જો અપરિણીત છોકરીઓ હરિયાળી તીજનું વ્રત રાખે તો તેમને સારો પતિ મળે છે. બીજી તરફ પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી લગ્નજીવન માટે આ વ્રત રાખે છે. હરિયાળી તીજ શ્રાવણ માસના શુક્લ પક્ષની તૃતીયા એટલે કે તીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હરિયાળી તીજ 31મી જુલાઈ 2022, રવિવારના રોજ ઉજવવામાં આવશે. હરિયાળી તીજના દિવસે મહિલાઓ હાથ પર મહેંદી લગાવે છે અને શણગાર સજે છે. આ વખતે હરિયાળી તીજ મહત્વની બની રહેશે કારણ કે આ વખતે કેટલાક શુભ સંયોગોનું થઇ રહ્યું છે નિર્માણ
આ કારણે ઉજવાય છે હરિયાળી તીજ
પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતીનું પુનઃમિલન થયું હતું. એવો પણ ઉલ્લેખ છે કે માતા પાર્વતીએ 107 જન્મ લીધા હતા અને ભોલેનાથને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ પછી, 108 માં જન્મમાં લાંબી રાહ જોયા પછી, તેમના લગ્ન ભગવાન શંકર સાથે થયા. એવું માનવામાં આવે છે કે જો છોકરીઓ આ દિવસે વ્રત રાખે છે તો તેમને તેમનો મનપસંદ વર મળે છે. બીજી તરફ જો સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે તો તેમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
હરિયાળી તીજ પર બને છે આ યોગ
હરિયાળી તીજ પર આ વર્ષે ખૂબ જ શુભ યોગ રવિ યોગ રચાઈ રહ્યો છે. પૂજા, ધાર્મિક કાર્યો માટે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ રવિ યોગમાં કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે. રવિ યોગ 31મી જુલાઈના રોજ બપોરે 02:20 વાગ્યાથી 1લી ઓગસ્ટના રોજ સવારે 06:04 વાગ્યા સુધી રહેશે. હરિયાળી તીજના દિવસે દેવી પાર્વતી અને શિવની પૂજા કરવાની સાથે દેવી પાર્વતીને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.