છેલ્લા થોડા સમયથી તારક મહેતા...માં દયાબેનની વાપસીને લઇને ખુબ ચર્ચા થઇ રહી છે. પોપટલાલના લગ્ન અને દયાબેનની વાપસી બંને પ્રશ્ન ત્રીજા વિશ્વયુદ્ધ કરતા વધારે ચર્યાઇ રહ્યાં છે.
દયાબેન કરશે એન્ટ્રી
અસિત મોદીએ આપ્યો જવાબ
દયાબેન બન્યા ટોક ઓફ ધ ટાઉન
અસિત મોદીએ આપ્યો જવાબ
પ્રોડ્યુસર અસિત મોદીએ ક્લિયર કરી દીધુ છે કે દયાબેન ક્યારે શોમાં પરત ફરશે. છેલ્લા 3 વર્ષથી દિશા વાકાણી કે જે દયાનો રોલ કરે છે તે મેટરનીટિ લીવ પર છે અને તે બાદથી તે શોમાં પરત ફરી નથી. દિશા વગર આ શોમાં જાણે જાન ન હોય તેવુ લાગે છે. બીજુ કોઇ દયાને રિપ્લેસ કરી શકે તેમ નહોતું માટે હવે અસિત મોદીએ કહ્યું કે દયાબેન કોરોના વાયરસ બાદ શોમાં વાપસી કરશે.
2017થી ફેન્સ દયાબેન પરત ફરે તેની રાહ જોઇ રહ્યા છે પરંતુ તેમને 2021 સુધી નિરાશા જ સાંપડી છે. દિશા વાકાણી એટલે કે દયાબેનની વાપસીની વાતો ઘણી વાર થઇ છે પરંતુ ચોક્કસ સમય કે તારીખ આપવામાં આવી નથી કે દયા બેન પરત ફરશે જ. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે દયાએ શોમાંથી ક્વિટ કરી લીધુ છે ત્યારે તેના ફેન્સ નિરાશ થયા હતા.
સેલેરીમાં પ્રોબ્લેમ
કોઇમોઇની એક રિપોર્ટ અનુસાર દયા પાછી નથી આવી રહી તેનુ એક કારણ સેલેરી છે. તેની ઇચ્છા પ્રમાણે સેલેરી ન મળવાને કારણે તેની શોમાં વાપસી નથી થઇ રહી.
કેટલી હતી સેલેરી
રિપોર્ટ અનુસાર જ્યારે દયા શોમાંથી 2017માં બહાર ગઇ ત્યારે તેની સેલેરી 1.25 લાખ રૂપિયા પર એપિસોડ હતી. બાદમાં તેણે પૈસા વધારવાની ડિમાન્ડ કરી હતી અને હવે તેને પર એપિસોડ 1.50 લાખ રૂપિયા જોઇએ છે. મેકર્સ પણ આ વાતે વિચારી રહ્યા છે પરંતુ દયા સ્પષ્ટ છે કે જો તેને મનગમતી સેલેરી નહી મળે તો તે શોમાં પાછી નહી આવે.
ટાઇમિંગ પ્રોબ્લેમ
પગાર સિવાય દયાએ બીજી પણ એક શરત મૂકી હતી કે તે 11 થી 6 વાગ્યાની વચ્ચે જ શૂટ કરશે જેથી તે તેની પર્સનલ લાઇફ જીવી શકે અને પોતાની દીકરીને સમય આપી શકે. હજુ પણ તે કન્ફર્મ નથી થઇ શક્યુ કે દયા પરત ફરશે કે નહી.
એનિમેટેડ થયુ તારક મહેતા, અસિત મોદીનું સપનું પૂરું થયું
એક સમાચાર એજન્સી સાથે ખાસ વાતચીતમાં અસિત મોદીએ કહ્યું કે, મારો શોને 13 વર્ષ થઈ ગયા છે. મારું સપનું હતું કે આ શો બાળકો માટે એનિમેશનના રૂપમાં લાવીએ. હું મારા શોનું એનિમેટેડ વર્ઝન લાવવા માટે ઘણાં લાંબા સમયથી વિચારી રહ્યો છું, ખાસ કરીને બાળકો માટે. આ સપનું અમારી સોની યે ચેનલના એસોસિએશનની સાથે પૂર્ણ થયું.
ઓરિજિનલ શોમાં ભલે નહીં, પરંતુ તારક મહેતા કા છોટા ચશ્મામાં તમને દયાબેન ચોક્કસથી જોવા મળશે. આ અંગે અસિત મોદી કહે છે, હા અહીં દયાબેન છે અને એનિમેટેડ વર્ઝનમાં મને કોઈ ટેન્શન નથી કે કોઈ કલાકાર શો છોડી દેશે. કારણ કે દરેક એનિમેટેડ છે, તો પછી જેઓ દયા ભાભીને મિસ કરતા હતા તેઓ આ એનિમેટેડ વર્ઝનમાં દયા ભાભીને જોઈ શકાશે. તેમાં એક નાની ટપ્પુસેના પણ હશે.
એનિમેટેડ સીરિઝમાં શું ખાસ હશે?
શોમાં ખાસ શું છે તે અંગે અસિતે કહ્યું કે, હવે દર્શકોને જોવા માટે બે વર્ઝન મળશે અને માત્ર બાળકો જ નહીં, પરંતુ તેમનો પરિવાર પણ આ એનિમેટેડ સીરિઝ એન્જોય કરશે. બાળકોએ કોરોનાના સમય દરમિયાન ઘણું બધું મિસ કર્યું છે. સ્કૂલ, મિત્રો, ટિફિન બોક્સ તો આ એનિમેટેડ વર્ઝન તેમને આનંદની સાથે સાથે કોમેડી આપશે અને તેમને ઘરે કંટાળો આવશે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે, કોવિડના સમયમાં પણ મારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે અને કોવિડના સમયમાં એક શો શરૂ કરવો સરળ નથી. પરંતુ અમે તારક મહેતાનું એનિમેટેડ વર્ઝન રજૂ કરી રહ્યાં છીએ. અભિનેતાઓ પણ તેમના પાત્રોમાં અવાજ આપશે. તો હું ચાહકોને કહીશ કે તમે તારક મહેતા ક ઉલટા ચશ્માને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે, તેવી જ રીતે એનિમેટેડ વર્ઝન તારક મહેતા કા છોટા ચશ્માને પણ પ્રેમ આપો.