ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ફરી એકવાર કિસાન સંઘ મેદાને આવ્યું છે..તે પડતર પ્રશ્ને છે ખેડૂતોને ન મળી રહેલો પાકવીમો..સરકારના મસમોટા દાવાઓ વચ્ચે હજુ પણ રાજ્યના કેટલાય ખેડૂતો એવા છે જેમના પાકવીમાના નામે વીમા કંપનીઓએ કશું જ આપ્યું નથી...વાત જો રાજ્યના ખેડૂતોની કરીએ તો અત્યાર સુધીમાં આ સીઝનમાં ખેડૂતોને માત્ર 1.25 લાખ ખેડૂતોનો જ વીમો મંજૂર થયો છે..જો કે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે વીમા કંપનીઓએ પ્રિમિયમ પેટે 2305 કરોડ રૂપિયા વસૂલ્યા છે ..તેની સામે ચૂકવ્યા છે માત્ર 325 કરોડ રૂપિયા..ત્યારે સવાલ એ છે કે શું વીમા કંપનીઓ પાકવીમામાંથી કમાણી કરે છે કે શું?આવી કંપનીઓ પર સરકારનો કેમ કોઈ અંકુશ નથી? ખેડૂતો પાસેથી મબલક પ્રિમિયમ ઉઘરાવતી વિમા કંપનીઓ ખેડૂતોને વિમાના પૈસા આપવામાં કેમ આનાકાની કરે છે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન