પૂર્વ નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી લાંબી બિમારી પછી શનિવારના રોજ દિલ્હી AIIMSમાં નિધન થયું છે.
અરૂણ જેટલીના નિધનથી તમામ દેશ લોકો શોકમાં છે. બોલિવુડના ઘણા સ્ટાર્સ પોતાના પ્રિય નેતાની અચાનકથી થયેલી વિદાયથી ભીની આંખોએ શ્રદ્ઘાંજલિ આપી. અરૂણ જેટલીને યાદ કરતા પ્રોડ્યુસર શીતલ તલવારે તેમની સાથે જોડાયેલા કેટલાક જૂના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, કેવી રીતે અરૂણ જેટલીએ અમારી ફિલ્મ 'રણ' માટે કોર્ટમાં કેસ લડ્યો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન હીરો હતા.
.. an amiable soul .. considerate and ever friendly .. prayers and condolences ..🙏🏻 https://t.co/iR90rWEfBe
શીતલ તલવારે અરૂણ જેટલી વિશે ચર્ચા કરતા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ફિલ્મ 'રણ' નો પહેલો પ્રોમો રિલીઝ થવાનો હતો અને રામગોપાલ વર્મા કોન્ટ્રોવર્સીમાં આવી ગયા, જેનું કારણ પ્રોમોમાં સામે આવેલુ ગીત. આ ગીતના લિરિક્સ નેશનલ એન્થમમાં ફેરફાર કરીને 'જન ગણ મન' રાખવામાં આવ્યા હતા. ગીતની ટ્યૂન પણ નેશનલ એન્થન જેવી રાખવામાં આવી હતી. આ પ્રોમો સામે આવાત જ સેન્સર બોર્ડને ડિરેક્ટરે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
શીતલ તલવારે આગળ કહ્યુ કે, ''તે સમયે હું અને રામગોપાલ વર્મા અરૂણ જેટલીની પ્રોફેશનલ એડવાઇઝ લેવા માટે ગયા હતા. જેટલીએ સરળતાથી અમારા કેસ માટે હા પડતા કહ્યુ કે, આગળ શું થશે, તે ખબર નથી પરંતુ હું મારો બેસ્ટ પ્રયત્ન કરીશ. તમને અભિવ્યકિતની આઝાદીનો અધિકાર છે.''
પ્રોડ્યુસર શીતલ તલવારે આગળ કહ્યુ કે, ''અરૂણ જેટલી એક કલાકારની ક્રિએટિવ આઝાદીનું પૂરુ સમર્થન કરતા હતા. તે શાનદાર વકીલ હતા, તેમની દલીલો પણ લોજિકલ હતી. હા એ વાત છે કે તેઓ અમારો કેસ હારી ગયા. પરંતુ અમે ક્યારેય નહી ભૂલી શકીએ કે કેવી રીતે અરૂણ જેટલીએ કોર્ટમાં વકીલ તરીકે અમારો કેસ લડ્યો હતો.''
Saddened to hear about #ArunJaitley .
Always looked up to him for his eloquence. And the manner in which he articulated his point of view and his mastery of all things legal.
A loss for the country. May the Almighty give his family strength to bear this untimely loss 🙏