કોરોના વાયરસના કારણે ઘણા બધા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસનો ફફડાટ એટલો છે કે લોકોને સામાન્ય શરદી થયા તોય મૂંઝવણમાં મુકાઈ જાય છે કે કોરોના વાયરસ ન હોય. એવામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે તમારે કઈ પરિસ્થતિમાં કોરોના વાયરસનું ટેસ્ટીંગ કરાવવું જોઈએ.
કોરોના વાયરસના લક્ષણો વિશે સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી
કોણે ટેસ્ટની આવશ્યકતા છે તેની જાણકારી આપી
કોરોના વાયરસના કારણે લોકોમાં ફફડાટ
કોરોના વાયરસનાં કારણે ડરનાં માહોલમાં ઉધરસની સમસ્યાથી પણ લોકો પરેશાન થઇ રહ્યા છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ કોઈ વ્યક્તિને તાવ અને કફની સમસ્યા હોઈ શકે છે. એવામાં સવાલ એ થાય કે તો કયા સંજોગોમાં કોરોના વાયરસનું ટેસ્ટ કરાવવું જોઈએ ? જેનો જવાબ સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વીટ કરીને આપ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે કયા લક્ષણો દેખાય તો કોરોના વાયરસનો ટેસ્ટ આવશ્યક છે.
કોરોના વાયરસના લક્ષણ
અચાનક જ ખૂબ તાવ આવવો
સુખી ઉધરસ
સ્નાયુમાં દુખાવો
માથું દુખવું
ઉધરસમાં લોહી આવવું
શ્વાસ લેવામાં તકલીફ
કોરોના વાયરસ થવા પર પહેલાં તાવ આવે છે પછી ખાંસી. એક અઠવાડિયામાં શ્વાસમાં લેવામાં તકલીફ પડે છે જે બાદ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.જો આ બધા લક્ષણો દેખાય તો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
આ સિવાય જો કોઈના પરિવારમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો હોય તો બધા જ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. કોઈ પણ કોરોના વાયરસનાં દર્દીનાં સંપર્કમાં તમે આવ્યા હોવ, ન્યુમોનિયા અને ઇન્ફૂલેન્જા જેવી બીમારી થઇ હોય અને એવા સ્વાસ્થ્ય કર્મીઓ જે કોરોના પીડિતોનું ધ્યાન રાખે છે તે બધા એ પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
કોરોના વાયરસના ટેસ્ટ માટે તમે હેલ્પલાઈન નંબર 1075 પર ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત કરાયેલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ થઇ શકે છે.