બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો શો 'કૌન બનેગા કરોડપતિ' સૌથી ફેમસ રિયાલિટી શોમાંથી એક છે. અમિતાભ બચ્ચન છેલ્લા 19 વર્ષથી આ શો હોસ્ટ કરે છે. જ્યારે અમિતાભ બચ્ચનને આ શો ઑફર થયો, ત્યારે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા. આજ કારણે તેમણે તરત જ હા પાડી દીધી, એક ઇન્ટરવ્યૂમાં બિગ બીએ જણાવ્યુ કે, 'જોકે મારા આ નિર્ણયની વિરુદ્ઘ મારો પરિવાર હતો'
નોંધનીય છે કે, બચ્ચન પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. બિગ બીએ ક્વિઝ શો કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે તેમણે વિચાર્યુ ન હતુ કે, એક બોલિવુડ સ્ટાર રહી ચૂક્યા છે તો પણ ટીવીમાં કેમ જઇ રહ્યા છે. એક્ટ્રેસ સિમી ગ્રેવાલના ચેટ શોમાં અમિતાભ બચ્ચને જણાવ્યુ કે, ''મારી પત્ની અને મારી બાળકો નહતા ઇચ્છતા કે હું આ શો કરું. ''
બિગ બીએ આગળ કહ્યુ કે, ''ટીવી પ્રોજેક્ટ મળવાથી અમે ચોંકી ગયા હતા. મારા પરિવાર વિરુદ્ઘ હતો, જયાએ કહ્યુ કે, ટીવી પર જવાથી મારી ઇમેજ ખરાબ થઇ જશે, કેમકે આ નાનું માધ્યમ છે. પરંતુ મારા પાસે કોઇ વિકલ્પ ન હતો. મારી સ્થિતિ એવી હતી કે જો કોઇ મને કહેતુ કે રૂપિયા માટે જમીન સાફ કરો તો હું તે પણ કરી દેતો.''
આ અંગે જયા બચ્ચને કહ્યુ કે, ''તેમને કામની જરૂર હતી. તેમણે અમારી જોડે વાત કરી. અમે તેમને સહકાર આપીને તે જરૂરી હતુ. પરંતુ હું તેમના નિર્ણય સાથે સંપૂર્ણપણે સહમત ન હતી.''
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનને આ શોથી જ ફરીથી પોપ્યુલારિટી મળવાની શરૂઆત થઇ ત્યાર બાદ તેમને ફિલ્મ ‘મોહબ્બતેં’ મળી. KBC અને ‘મોહબ્બતેં’ બંને હિટ રહ્યા, અને અહીંયાથી બિગ બી કરિયરની બીજી ઇનિંગ્સ શરૂ થઇ.
તાજેતરમાં જ બિગ બીએ KBCમાં કહ્યુ કે, '' મારી ઉંમર 77 વર્ષ થઇ ગઇ છે અને ઘણી વખત ભૂલી જાય છે. આ સિવાય અમિતાભે કહ્યુ કે, . ઉંમરના કારણે હાથ-પગમાં ધ્રૂજારી આવે છે. સહી કરતી વખતે ઘણીવખત સમસ્યાનો સામનો કરવો પડે છે.''