અમદાવાદમાં રવિવારે ગણેશ વિસર્જન માટે મહાપાલિકાની આગવી વ્યવસ્થા. રીવર ફ્રન્ટ પર અઢી કરોડના ખર્ચે બનાવ્યા કૃત્રિમ કૂંડ
ગણપતિ વિસર્જનને લઇ અમદાવાદમાં બંદોબસ્ત
પોલીસ-SRPના જવાનો રહેશે ખડે પગે તહેનાત
મહાપાલિકાએ બનાવ્યા વિસર્જન માટે 2,5 કરોડના કૂંડ
રવિવારે અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તડામાર તૈયારીઓ મહાનગર પાલિકાએ કરી લીધી છે. કોરોના મહામારી બાદ પહેલી જ વાર ગણપતિi ઘરે બેસાડવાથી માંડીને વિસર્જન સુધીની ગાઈડ લાઈન આપી રાજ્ય સરકારે બાપ્પાના ભક્તોને જાણે રીઝવી દીધા.પરિણામે, ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો મહાનગર પાલિકાએ વિસર્જન માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. અમદાવાદના રીવર ફ્રન્ટ નજીક ૫૨ જેટલા કૃત્રિમ કૂંડમાં ગણપતિ વિસરજન થઇ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે..
ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા
છેલ્લા દોઢ વર્ષથી કોરોના સંક્રમણના કારણે નાગરીકો કોઈ તહેવાર ઉજવી શક્યા નથી. હવે સંક્રમણ ઓછું થતા ધીમે ધીમે તહેવારો ઉજવાઈ રહ્યા છે.આ વચ્ચે ગણપતિ સ્થાપન-વિસર્જન માટે સરકારે કેટલીક ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ મુજબ ભક્તોએ સ્થાપન-વિસર્જન કરવા સુચવાયું હતું. મહાનગર પાલિકાએ રૂપિયા 2.5 કરોડના ખર્ચે વિસર્જન માટે કૂંડ બનાવ્યા છે.અને સાબરમતી નદીમાં વિસર્જન માટે સ્પષ્ઠ મનાઈ ફરમાવવામાં આવી છે.સાથોસાથ વિસર્જન સમયે ઓછા ભાવિકો સાથે રાખવા પણ માર્ગદર્શિકામાં સુચવાયું છે. રીવર ફ્રન્ટ પાસે વિસર્જન દરમિયાન ફાયર વિભાગની ટીમ પણ ખડે પગે રહેશે.
મજબૂત સુરક્ષાચક્ર
અમદાવાદમાં ગણેશ વિસર્જન વેળા પોલીસ વિભાગનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.શહેરમાં 13 DCP, 30થી વધુ ACP, અને 70 PI બંદોબસ્તમા રહેશે. SRPતો 265 PSI,5700 હેડ કોન્સ્ટેબલ વિસર્જન વેળા ખડે પગે હશે. કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા SRPની ત્રણ કંપનીઓ અને રેપીડ એક્શન ફોર્સ (RAF)ની એક કંપની રહેશે.વિસર્જન સ્થળે 3700 જેટલા હોમગાર્ડ જવાનો વિસર્જન સ્થળે ખડે પગે ઉપસ્થિત રહેશે. વિસર્જન સ્થળે બેરીકેટસની પણ વ્યવસ્થા રહેશે.