ઘઉંના વધતા ભાવોને કાબૂમાં કરવાનો પ્લાન થઈ રહ્યો છે. તેના માટે સરકાર ઘઉંની આયાત પર 40 ટકા ડ્યૂટીને ખતમ કરી શકે છે.
ઘઉંના ભાવમાં આવી શકે છે ઘટાડો
આયાત પર ડ્યૂટી ખતમ કરી શકે છે સરકાર
ઘઉંના ભાવને કંટ્રોલ કરવા પર વિચાર કરી શકે છે સરકાર
ઘઉંના વધતા ભાવોને કાબૂમાં કરવાનો પ્લાન થઈ રહ્યો છે. તેના માટે સરકાર ઘઉંની આયાત પર 40 ટકા ડ્યૂટીને ખતમ કરી શકે છે. તેની સાથે જ વેપારીઓ માટે સ્ટોરની મર્યાદા પણ લાગૂ કરી શકે છે. ઘઉંના બીજા સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતમાં હાલના સમયમાં કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ભીષણ ગરમીના કારણે પાકને નુકસાન થતું જોઈ સરકારે મેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
તેમ છતાં પણ તેની ઘરેલૂ કિંમતો ઉચ્ચા સ્તરે રહી હતી. વેપારીઓએ કહ્યું કે, જો સરકાર આયાત ડ્યૂટી હટાવે છે અને આંતરરાષ્ટ્રીય ભાવ ઓછા થાય છે, તો તહેવારી સીઝનમાં આયાત શરુ થઈ શકે છે, તે જ સમયે ઘરેલૂ બજારમાં ભાવ વધારે થઈ શકે છે. સૂત્રોએ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર ઘઉંના ભાવ નીચે લાવવા માટે સંભવિત વિકલ્પ પર વિચાર કરી શકે છે.
નવો પાક 9 મહિના બાદ આવશે
સરકાર પાસે આ વખતે બજારમાં હસ્તક્ષેપ કરવાનો મર્યાદિત વિકલ્પ છે. કારણ કે, ખરીદ 57 ટકાથી ઘટીને 1.88 કરોડ ટન થઈ ગઈ છે. નવો પાક નવ મહિના બાદ આવશે. ત્યા સુધી ભંડારનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો પડશે. વરસાદ ઓછો થવાના કારણે અનાજની વાવણી પણ પ્રભાવિત થઈ છે.
ડાંગરનો પાક 5 ઓગસ્ટ સુધી 274.30 હેકટર હતો, જે એક વર્ષ પહેલા 314.14 લાખ હેક્ટર હતો. ડાંગરના ઓછા ઉત્પાદનથી ચોખાની કિંમતે ચિંતા વધારી છે. સંભાવના છે કે, ઘઉંની વધારે કમી થઈ તો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લંબાવવા પર સરકારે વિચારવું પડશે. યોજના સપ્ટેમ્બરમાં સમાપ્ત થાય છે.
એક વર્ષમાં 22 ટકા વધ્યા ઘઉંના ભાવ
ઘઉંની કિંમતમાં એક વર્ષમાં 22 ટકાનો વધારો થયો છે. 8 ઓગસ્ટ 2021ના રોજ 25 રૂપિયે કિલો ઘઉં હતા. જે સોમવારે 30.61 રૂપિયે કિલોએ પહોંચી ગયા છે. એક મહિના પહેલા 29.76 રૂપિયા હતા. લોટનો ભાવ એક વર્ષ પહેલા 29.74 રૂપિયા કિલો હતો. જે આજે 35.13 રૂપિયા થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંની કિંમત જૂલાઈમાં માસિક આધાર પર 14.5 ટકા નીચે આવી હતી. ગત વર્ષે ભારતમાં 72 લાખ ટન ઘઉંની નિકાસ થઈ હતી. આ વર્ષે 60 લાખ ટન નિકાસનું અનુમાન છે. જ્યારે નવો પાક 9 મહિના બાદ આવશે. તેથી ઘઉંના ભંડારનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો પડશે.