દુનિયાની સૌથી મોટી ઇન્સ્ટેન્ટ મેસેજિંગ સર્વિસ આપનારી કંપની Whatsappએ જથ્થામાં મેસેજ મોકલનાર લોકો વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. Whatsapp હવે એવા લોકોના અકાઉન્ટ બંધ કરી દેશે જે જથ્થમાં દરરોજ મેસેજ મોકલે છે. સાથે જ કંપની એવા લોકોની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે.
Whatsapp એ પોતાના બ્લોગમાં કહ્યું છે કે એ એવા લોકોનું Whatsapp અકાઉન્ટ બંધ કરી દેશે જે બલ્કમાં બીજા લોકોને મેસેજ મોકલે છે. એની શરૂઆત 7 ડિસેમ્બર 2019થી થશે. કંપનીએ પોતાના બ્લોગમાં કહ્યું છે કે Whatsapp પર 90 ટકા મેસેજ પર્સનલ મેસેજ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી થોક મેસેજનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
જથ્થાબંધ મેસેજ સૌથી વધારે તમામ રાજકીય પાર્ટીઓ અને ડિજીટલ માર્કેટિંગ કરનાર તરફથી મોકલવામાં આવી રહ્યા છે. એની આડમાં દરરોજ તમામ પ્રકારના ખોટા ન્યૂઝ પણ શેર થઇ રહ્યા છે. એવામાં Whatsapp નું આ પગલું થોક મેસેજ અને ફેક ન્યૂઝ પર લગામ લાદવામાં કામ આવશે.
Whatsapp એ કહ્યું છે કે જો કોઇ અકાઉન્ટમાં 15 સેકન્ડની અંદર 100 મેસેજ મોકલવામાં આવે છે તો આ અકાઉન્ટ પર બલ્ક મેસેજનો દોષિત માનવામાં આવશે અને એ અકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે. સાથે જ અકાઉન્ટ બન્યાના 5 મીનિટ બાદથી જ ઘણા બધા લોકોને મેસેજ મોકલવામાં આવે છે તો કંપની એની વિરુદ્ધ કાર્યવાહી કરશે.
સાથે સાથે એ અકાઉન્ટ્સને પણ બંધ કરશે જે થોડા દિવસ પહેલા જ બનાવવામાં આવ્યું હોય અને એ અકાઉન્ટથી ખૂબ જ ગ્રુપ્સ બનાવવામાં આવી રહ્યા હોય.