જો તમે વોટ્સએપ પર દિવસ દરમિયાન આવતા નોટિફિકેશનથી પરેશાન છો. તો વોટ્સએપમાં હવે એક મહત્ત્વનું ફિચર આવવા જઈ રહ્યું છે.
હવે વોટ્સએપને યૂઝર ડિલીટ નહીં કરી શકે
ફેસબૂક-ઈન્સ્ટાગ્રામ જેમ લોગઆઉટ કરી શકાશે
અત્યારસુધી વેબ વર્ઝનમાંજ લોગઆઉટ ફિચર હતું
જલ્દી વોટ્સએપને લોગઆઉટ કરી શકશો
વોટ્સએપનાં આ નવા ફિચરની મદદથી તમે ઈચ્છો ત્યારે વોટ્સએપથી બ્રેક લઈ શકો છો અને ફરીથી તેને યૂઝ કરી શકશો. વોટ્સએપને અપડેટ અને ફિચર્સને ટ્રેક કરવા વાળી સાઈટની એક નવી રિપોર્ટ અનુસાર જલ્દી વોટ્સએપનાં બધા યૂઝર્સ પોતાનાં વોટ્સએપને લોગઆઉટ કરી શકશે.
જલ્દી નવુ ફિચર આવશે
વોટ્સએપને લોગઆઉટ કરતુ આ ફિચર જલ્દી યૂઝર્સને મળશે. આ ફિચરની મદદથી યૂઝર્સ હવે વોટસ્એપને પણ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામની જેમ લોગઆઉટ કરી શકશે. વોટ્સએપને લોગઆઉટ કરનાર આ વર્ઝન 2.21.30.16માં આપવામાં આવ્યું છે.
ડિલીટ ઓપ્શન ખતમ થઈ જશે
જોકે એવુ પણ બની શકે છે કે યૂઝર્સનાં સ્માર્ટફોનમાં વોટ્સએપનું આ વર્ઝન હોય પણ તેમાં આ ફિચર ના આપવામાં આવ્યું હોય. એવુ એટલે બનશે કેમકે આ ફિચર દરેક માટે પબ્લિક નથી કરવામાં આવ્યું. આશા રાખવામાં આવી રહી છે કે લોગઆઉટ ઓપ્શન આવ્યા બાદ ડિલીટ એકાઉન્ટનું ઓપ્શન ખતમ થઈ શકે છે. ડિલીટ એકાઉન્ટથી યૂઝરનું વોટ્સએપ એકાઉન્ટ હંમેશા માટે બંધ થઈ જતુ હોય છે.
વેબ વર્ઝનમાં લોગઆઉટ ફિચર હોય છે
હાલ સામાન્ય યૂઝર્સ માટે વોટ્સએપે ફક્ત વેબ વર્ઝનમાંજ લોગઆઉટનું ફિચર આપ્યુ છે. વેબ વોટ્સએપમાં લોગઈન કરવા માટે https://web.whatsapp.com/પર જઈને તમારા સ્માર્ટફોનમાં ક્યૂઆર કોડ સ્કેન કરવાનું રહેશે. ત્યારબાદ લોગઆઉટ કરવા માટે અમુક સ્ટેપને ફોલો કરવાનાં હોય છે.